લીંબડી-સુરેન્દ્રનગર હાઈવે પર ટ્રેક્ટર તથા ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ટ્રેકટરમાં સવાર વઢવાણના યુવાનનું મોત થયું હતુ. જ્યારે લીંબડી-રાણપુર હાઈવે રોડ પર આઈસર ચાલકે બાઈકને અડફેટે લેતાં મોજીદડના યુવકનું મોત થયું હતુ.બન્ને ઘટનામાં કુલ 2 વ્યક્તિને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જનાર બન્ને વાહનના ચાલકો ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતુ. લીંબડી-સુરેન્દ્રનગર હાઈવે પર અંકેવાળિયા ગામ પાસે ટ્રેક્ટર તથા દૂધથી ભરેલું ટેન્કર ટકરાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ ઘટનામાં ટ્રેક્ટરના ટુકડે-ટુકડા થઈ ગયા હતા. જ્યારે દૂધથી ભરેલું ટેન્કર ગલોટ્યા ખાઈને રોડ નીચે ખાડામાં ઉતરી ગયું હતું. ટ્રેક્ટરમાં સવાર વઢવાણમાં આવેલ મૂળીવાસમાં રહેતા કુલદીપસિંહ ઉર્ફે ચેતનસિંહ ડોડિયા તથા મહાવીરસિંહ દિલીપસિંહને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જી ટેન્કર ચાલક ભાગી ગયો હતો. ઘાયલ લોકોને સારવાર અર્થે લીંબડી તેમજ બાદમાં આગળની સારવાર માટે સુરેન્દ્રનગરમાં લઈ જવાયા હતા.આ સારવાર દરમિયાન કુલદીપસિંહ ડોડિયાનું કરૂણ મોત થયું હતું. ચુડા તાલુકામાં આવેલા મોજીદડ ગામના મોજુભાઈ ઉર્ફે મહેશભાઈ જસમતભાઈ ડાંગરોચા બાઈક પર તેમની 4 વર્ષીય ભાણી ક્રૃપાલીને લઈ લીંબડી મુકવા માટે આવી રહ્યા હતા. આ સમયે લીંબડી-રાણપુર રોડ પર પાંદરી ગામ પાસે માઈનોર કેનાલ નજીક કોઈ અજાણ્યા વાહને તેમના મોટરસાઈકલને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં મહેશભાઈ ડાંગરોચા તથા ક્રૃપાલીને ઈજા પહોંચી હતી. જ્યાં ડોક્ટરે મહેશભાઈને મૃત જાહેર કર્યાં હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સહકાર રાજ્યમંત્રીશ્રી તથા પ્રોટોકોલ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માનાં અધ્યક્ષ સ્થાને તાલુકા તથા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ભાવનગર...
Delhi में AAP-Congress में बनी बात, किसे मिली कितनी सीट? | Rahul Gandhi | Kejriwal | Election 2024
Delhi में AAP-Congress में बनी बात, किसे मिली कितनी सीट? | Rahul Gandhi | Kejriwal | Election 2024
મલેકપુર ચોકડી પર પંજાબ થી આવેલ શીખ સમુદાયના લોકો દ્વારા ગુરુ નાનકની જન્મ જયંતિ ઉજવણી
મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ચોકડી ખાતે શીખ સમુદાયના લોકો દ્વારા ગુરુ નાનકની 553 મી...
Ahmedabad News| અમદાવાદ: વેજલપુર માં યાશમીન ફ્લેટ 3 માળની બિલ્ડિંગ ધરાશાયી| Vejalpur News | Dpnews
Ahmedabad News| અમદાવાદ: વેજલપુર માં યાશમીન ફ્લેટ 3 માળની બિલ્ડિંગ ધરાશાયી| Vejalpur News | Dpnews
ચુડા તાલુકાની સગીરાને ભગાડી જનાર બે સંતાનનો પિતા વિરમગામથી ઝડપાયો
ગઈ તા.29/4/23 ના રોજ સવાર કલાક 5 વાગ્યા પહેલા કોઈ પણ સમયે ભૃગુપુર ગામ તા. ચુડા જી. સુરેન્દ્રનગર...