ધાનેરામાં અમુક હોસ્પિટલો દ્વારા બાયો મેડિકલ વેસ્ટનો કચરો ખુલ્લામાં ફેંકવામાં આવતો હોવાથી રખડતી ભટકતી ગાયો આ કચરો ખાઈને જીવલેણ બીમારીનો ભોગ બની અંતે મોતને ભેટે છે.જયારે આજુબાજુમાં રહેતા લોકોને પણ ગંભીર બિમારીનો ભોગ બનવું પડે છે.ધાનેરાના અમુક ડોક્ટરોની બેદરકારી કે રૂપિયા બચાવવાની લ્હાયમાં જે મેડિકલ વેસ્ટનો કચરો જાહેરમાં નાખે છે તેનો ભોગ ગાયો બની રહી છે, ખરેખર તો આવા બેદરકારી દાખવતા હોસ્પિટલના જવાબદારો સામે આરોગ્ય વિભાગના અધિકારીઓએ તેમજ નગરપાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી કરવી જોઇએ એના બદલે નગરપાલિકાના સત્તાધીશો પણ આંખ આડા કાન કરી રહ્યા છે.આ બાબતે અનેક ગૌભકતોએ નગરપાલિકામાં રજુઆતો કરી છે તેમ છતાં રેલ્વે ગરનાળા પાસે માર્કેટયાર્ડની પાછળના ભાગે બાયો મેડિકલ વેસ્ટનો કચરો બિન્દાસ્ત રીતે જાહેર રોડ ઉપર નાખવામાં આવતા ગૌભકતોમા પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.જે બાબતે ધાનેરા નગરપાલિકાના કર્મચારી ચીરાગભાઈ સોલંકી અને ધાનેરા તાલુકાના આરોગ્ય અધિકારીશ્રી એલ એન.સોમાણી તેમજ અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓની ટીમે સ્થળ ઉપર આવી બાયો મેડિકલ વેસ્ટનો કચરો જોઈ સ્થળ પર પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.લોકોમા થતી ચર્ચાઓ અબોલ પશુઓ આ બાયો મેડિકલ વેસ્ટનો કચરો આરોગીને મોતના મુખમાં ધકેલાઈ રહી છે ત્યારે શુ સ્થાનિક તંત્રના અધિકારીઓ આ મેડીકલ વેસ્ટનો કચરો જાહેરમાં નાખનારાઓ સામે યોગ્ય કાર્યવાહી કરશે ખરા?
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શંકરસિંહ વાઘેલા એ કરી જમાવટ.. દેવાંશી જોશી Shankersinh Vaghela Interview Devanshi Joshi
શંકરસિંહ વાઘેલા એ કરી જમાવટ.. દેવાંશી જોશી Shankersinh Vaghela Interview Devanshi Joshi
પાલનપુર ખાતે આવેલ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
પાલનપુર ખાતે આવેલ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
साधू बनकर ससुराल पहुंचा शख्स कर डाली पत्नी की हत्या, सास को किया घायल
मध्यप्रदेश के रतलाम में रात 3 बजे हत्या से सनसनी फैल गई. सिरफिरे शख्स ने अपनी पत्नी की...
કોવિડ 19 અટકાયતી પગલા અન્વયે આણંદ જનરલ હોસ્પિટલમાં મોકડ્રિલ.
કોવિડ 19 વિશ્વ મહામારી અંતર્ગત ભારત દેશમાં સરકારશ્રીના આદેશ અનુસાર સમગ્ર દેશમાં કોવિડ 19 રોગચારા...
રાધનપુર : નર્મદા નિગમની કેનાલમાં પાણી છોડવા કરાઈ માંગણી | SatyaNirbhay News Channel
રાધનપુર : નર્મદા નિગમની કેનાલમાં પાણી છોડવા કરાઈ માંગણી | SatyaNirbhay News Channel