ધાનેરામાં અમુક હોસ્પિટલો દ્વારા બાયો મેડિકલ વેસ્ટનો કચરો ખુલ્લામાં ફેંકવામાં આવતો હોવાથી રખડતી ભટકતી ગાયો આ કચરો ખાઈને જીવલેણ બીમારીનો ભોગ બની અંતે મોતને ભેટે છે.જયારે આજુબાજુમાં રહેતા લોકોને પણ ગંભીર બિમારીનો ભોગ બનવું પડે છે.ધાનેરાના અમુક ડોક્ટરોની બેદરકારી કે રૂપિયા બચાવવાની લ્હાયમાં જે મેડિકલ વેસ્ટનો કચરો જાહેરમાં નાખે છે તેનો ભોગ ગાયો બની રહી છે, ખરેખર તો આવા બેદરકારી દાખવતા હોસ્પિટલના જવાબદારો સામે આરોગ્ય વિભાગના અધિકારીઓએ તેમજ નગરપાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી કરવી જોઇએ એના બદલે નગરપાલિકાના સત્તાધીશો પણ આંખ આડા કાન કરી રહ્યા છે.આ બાબતે અનેક ગૌભકતોએ નગરપાલિકામાં રજુઆતો કરી છે તેમ છતાં રેલ્વે ગરનાળા પાસે માર્કેટયાર્ડની પાછળના ભાગે બાયો મેડિકલ વેસ્ટનો કચરો બિન્દાસ્ત રીતે જાહેર રોડ ઉપર નાખવામાં આવતા ગૌભકતોમા પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.જે બાબતે ધાનેરા નગરપાલિકાના કર્મચારી ચીરાગભાઈ સોલંકી અને ધાનેરા તાલુકાના આરોગ્ય અધિકારીશ્રી એલ એન.સોમાણી તેમજ અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓની ટીમે સ્થળ ઉપર આવી બાયો મેડિકલ વેસ્ટનો કચરો જોઈ સ્થળ પર પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.લોકોમા થતી ચર્ચાઓ અબોલ પશુઓ આ બાયો મેડિકલ વેસ્ટનો કચરો આરોગીને મોતના મુખમાં ધકેલાઈ રહી છે ત્યારે શુ સ્થાનિક તંત્રના અધિકારીઓ આ મેડીકલ વેસ્ટનો કચરો જાહેરમાં નાખનારાઓ સામે યોગ્ય કાર્યવાહી કરશે ખરા?
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના જૂનાડીસામાં યુવકે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં ચકચાર
ડીસાના જૂનાડીસા ગામે છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતાં યુવાને બુધવારે રાત્રે ઘરમાં પંખા ઉપર દોરડું...
Delhi Traffic News: अक्षरधाम के पास डीएमई पर क्रेन और डंपर की भिड़ंत, लगा भीषण जाम; रेंग-रेंग कर चल रहे वाहन
राष्ट्रीय राजधानी दिल्ली के अक्षरधाम के पास डीएमई पर क्रेन और सीमेंट बनाने वाले डंपर के बीच...
જામનગર: ભાજપની યાત્રા દરમિયાન સ્થાનિક લોકોમાં નિરુત્સાહ
જામનગર: ભાજપની યાત્રા દરમિયાન સ્થાનિક લોકોમાં નિરુત્સાહ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્યે દીઘાર્યુ અને સ્વાસ્થ્યપ્રદ જીવન માટે કામના કરી શુભેચ્છાઓ પાઠવી
ડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે શ્રવણ તીર્થયાત્રાની બસોને ભુજથી પ્રસ્થાન કરાવતા વિધાનસભાના...
દેવગઢ બારિયામાં ભાજપમાં ભંગાન
દેવગઢબારિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત વોર્ડ નંબર ચારના કાઉન્સિલર સહીત કાર્ય કર્તાભારતીય જનતા પાર્ટીને રામ રામ કરીને આજરોજ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા
દેવગઢબારિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત વોર્ડ નંબર ચારના કાઉન્સિલર સહીત કાર્ય...