ધાનેરામાં અમુક હોસ્પિટલો દ્વારા બાયો મેડિકલ વેસ્ટનો કચરો ખુલ્લામાં ફેંકવામાં આવતો હોવાથી રખડતી ભટકતી ગાયો આ કચરો ખાઈને જીવલેણ બીમારીનો ભોગ બની અંતે મોતને ભેટે છે.જયારે આજુબાજુમાં રહેતા લોકોને પણ ગંભીર બિમારીનો ભોગ બનવું પડે છે.ધાનેરાના અમુક ડોક્ટરોની બેદરકારી કે રૂપિયા બચાવવાની લ્હાયમાં જે મેડિકલ વેસ્ટનો કચરો જાહેરમાં નાખે છે તેનો ભોગ ગાયો બની રહી છે, ખરેખર તો આવા બેદરકારી દાખવતા હોસ્પિટલના જવાબદારો સામે આરોગ્ય વિભાગના અધિકારીઓએ તેમજ નગરપાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી કરવી જોઇએ એના બદલે નગરપાલિકાના સત્તાધીશો પણ આંખ આડા કાન કરી રહ્યા છે.આ બાબતે અનેક ગૌભકતોએ નગરપાલિકામાં રજુઆતો કરી છે તેમ છતાં રેલ્વે ગરનાળા પાસે માર્કેટયાર્ડની પાછળના ભાગે બાયો મેડિકલ વેસ્ટનો કચરો બિન્દાસ્ત રીતે જાહેર રોડ ઉપર નાખવામાં આવતા ગૌભકતોમા પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.જે બાબતે ધાનેરા નગરપાલિકાના કર્મચારી ચીરાગભાઈ સોલંકી અને ધાનેરા તાલુકાના આરોગ્ય અધિકારીશ્રી એલ એન.સોમાણી તેમજ અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓની ટીમે સ્થળ ઉપર આવી બાયો મેડિકલ વેસ્ટનો કચરો જોઈ સ્થળ પર પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.લોકોમા થતી ચર્ચાઓ અબોલ પશુઓ આ બાયો મેડિકલ વેસ્ટનો કચરો આરોગીને મોતના મુખમાં ધકેલાઈ રહી છે ત્યારે શુ સ્થાનિક તંત્રના અધિકારીઓ આ મેડીકલ વેસ્ટનો કચરો જાહેરમાં નાખનારાઓ સામે યોગ્ય કાર્યવાહી કરશે ખરા?
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिवरायांचा अवमान, उदय सामंतांनी केलेले ट्विट आले चर्चेत…
राज्यपाल भगतसिंह कोश्यारी यांनी छत्रपती शिवाजी महाराजांवर केलेल्या विधानांचे पडसाद संपूर्ण...
ગોધરા અને કાલોલ નગરપાલિકા વિસ્તાર મા સફાઇ ની શ્રેષ્ઠ કામગીરી કરતા સફાઇકર્મી નુ સન્માન
જિલ્લાના નગરપાલીકા વિસ્તારોમાં સફાઈની શ્રેષ્ઠ કામગીરી કરતા સફાઈકર્મી મિત્રોનું જાહેરમાં...
महाराष्ट्र के राज्यपाल भगत सिंह कोश्यारी आए दिन अपने बयानों से चर्चा में रहते हैं
महाराष्ट्र के राज्यपाल भगत सिंह कोश्यारी आए दिन अपने बयानों से चर्चा में रहते हैं. अब उनका एक और...
અમદાવાદ હેડ લાઈન ન્યૂઝ
આજે ઇરવિન જુણેજા નો જન્મદિવસઆપ ને જન્મ દીવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.મમ્મી પપ્પા ની લાડકી ઈરવિન આપ...
দেশৰ ৫ৰাজ্যৰ ১২ টা জনগোষ্ঠীক জনজাতিকৰণ প্ৰদানৰ পিছতে তিনিচুকীয়াত তীব্ৰ প্ৰতিক্ৰিয়া মৰাণ ছাত্ৰ সন্থাৰ
শেহতীয়াকৈ দেশৰ ৫ৰাজ্যৰ ১২ টা জনগোষ্ঠীক জনজাতিকৰণ প্ৰদানৰ পিছতে তিনিচুকীয়াত তীব্ৰ প্ৰতিক্ৰিয়া...