સુરેન્દ્રનગર વઢવાણ વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જીજ્ઞાબેન પંડયાને ટીકીટ આપવામાં આવી હતી પરંતું ભાજપને આ સીટ પર નાવ હાલક દોલક થાય તેવી પરિસ્થિતિ જોવા મળતા અને વઢવાણ બેઠક એ ભાજપ માટે વઢવાણનો ગઢ ગણાતી સીટ ખોવાનો વખત ના આવે તે માટે ભાજપ પક્ષ દ્વારા ભારતીય જનતા પાર્ટીના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ તરીકે સુંદર અને સારી કામગીરી નિભાવતા જગદીશભાઈ મકવાણાને ટીકીટ આપતા ભાજપના હોદેદારો અને આગેવાનો સહિત કાર્યકરોમા ખુશીની લહેર છવાઈ જવા પામી છે અને જ્યારે વઢવાણ બેઠકના ઉમેદવાર જીજ્ઞાબેન પંડયાએ ભારતીય જનતા પાર્ટીના જે.પી. નડાજીને પત્ર લખી જણાવ્યુ હતું કે મારા બદલે વઢવાણ વિધાનસભાની ઉમેદવારી કરવા બીજાને તક આપો અને હુ 2O વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર છુ અને ભારતીય જનતા પાર્ટીનુ કામ કરતી રહીશ અને મને વઢવાણ વિધાનસભાની બેઠક પર યોગ્ય ઉમેદવાર સમજી તે માટે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યકત કર્યો હતો.