સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના તાલુકામાં તો આત્મહત્યાના બનાવો દિન પ્રતિદન બને છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના વઢવાણ પાસે આવેલા ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતી 25 વર્ષની યુવતીએ અગમ્ય કારણોસર ટ્રેન નીચે જંપલાવી અને આત્મહત્યા કરી લીધી છે. સુરેન્દ્રનગર રેલવે ડિવિઝન ને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક અસરે ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વઢવાણ પીએસઆઇ સહિત પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. ટ્રેન પસાર થઈ રહી હતી તેવા સમયે અચાનક આ યુવતી ટ્રેન નીચે પડી અને આત્મહત્યા કરી લીધી છે ત્યારે આત્મહત્યા કરવા પાછળનું કારણ અને આગળની વધુ તપાસ રેલવે પોલીસ અને વઢવાણ પોલીસ ચલાવી રહી છે.