સુરતના ઉધના-મગદલ્લા રોડ પર અંબાનગર પાસે રોકડિયા હનુમાનજી ના મંદિરમાંથી તસ્કરોએ ચાંદીના વાસણો, મુકૂટ અને ગદા તથા રોકડ મળી 50 હજારની ચોરી કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ ઘટનામાં પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી સીસીટીવી કેમેરાની મદદથી ગુનાનો ભેદ ઉકેલવાની તજવીજ હાથ ધરી છે. અંબાનગર ખાતે પથ્થરવાળી શેરીમાં રહેતા 44 વર્ષીય દીલીપભાઇ હરીભાઇ પટેલ ઉધના મગદલ્લા રોડ પર રોક઼઼ડિયા હનુમાનના મંદિરમાં પુજા પાઠ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવામાં આવી છે. ગત 4 તારીખે રાત્રે અજાણ્યા ચોર મંદીરનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અને મંદીરમાં રહેલા ચાંદીના 42 નંગ ઘર, ચાંદીના 3 ઝુલા, ચાંદીના પગલા, ચાંદીની ગદા, ચાંદીના 3 મુકુટ, તથા મંદીરમાં રહેલી હનુમાનજીની મુર્તી આગળ પડેલા રોકડા 1700 રૂપિયા ચોરી કરી ગયા હતા. કુલ 50 હજારની મત્તાની ચોરી હનુમાનજીના મંદિરમાં કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસે નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લાઠી રાયપર ગામે પરિણીતાએ સાસરીયાના ત્રાસથી આપઘાત કર્યો
લાઠી રાયપર ગામે પરિણીતાએ સાસરીયાના ત્રાસથી આપઘાત કર્યો
Hyderabad में हिंदू त्योहार मनाने पर महिलाओं की गिरफ्तारी का सच क्या है? | Padtaal
Hyderabad में हिंदू त्योहार मनाने पर महिलाओं की गिरफ्तारी का सच क्या है? | Padtaal
पुलिस ने अवैध देशी शराब से भरे 40पव्वे के साथ एक जने को पकड़ा
कोटा. सांगोद थाना पुलिस द्वारा अवैध देशी शराब के 40 पव्वे जप्त कर एक जने को गिरफतार किया गया।...
કડુ ગામ પાસે આઈશરમાં આગ લાગતા દોડધામ મચી
લખતર તાલુકાના કડુ ગામ નજીક અમદાવાદથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલ આઇસર નર્મદાના પુલ પર પહોંચતા આઈશરના...