સુરતના ઉધના-મગદલ્લા રોડ પર અંબાનગર પાસે રોકડિયા હનુમાનજી ના મંદિરમાંથી તસ્કરોએ ચાંદીના વાસણો, મુકૂટ અને ગદા તથા રોકડ મળી 50 હજારની ચોરી કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ ઘટનામાં પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી સીસીટીવી કેમેરાની મદદથી ગુનાનો ભેદ ઉકેલવાની તજવીજ હાથ ધરી છે. અંબાનગર ખાતે પથ્થરવાળી શેરીમાં રહેતા 44 વર્ષીય દીલીપભાઇ હરીભાઇ પટેલ ઉધના મગદલ્લા રોડ પર રોક઼઼ડિયા હનુમાનના મંદિરમાં પુજા પાઠ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવામાં આવી છે. ગત 4 તારીખે રાત્રે અજાણ્યા ચોર મંદીરનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અને મંદીરમાં રહેલા ચાંદીના 42 નંગ ઘર, ચાંદીના 3 ઝુલા, ચાંદીના પગલા, ચાંદીની ગદા, ચાંદીના 3 મુકુટ, તથા મંદીરમાં રહેલી હનુમાનજીની મુર્તી આગળ પડેલા રોકડા 1700 રૂપિયા ચોરી કરી ગયા હતા. કુલ 50 હજારની મત્તાની ચોરી હનુમાનજીના મંદિરમાં કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસે નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઠાસરા નગર પાલિકા ને પ્રજા નાં પ્રશ્નો હલ કરવા માં રસ નથી. સ્થાનિકો માં રોગચાળો ફેલાવાની ભીતિ.
ઠાસરા નગર પાલિકા માં ઉભરતી ગટરો તૂટેલાં ગટર નાં ઢાંકણા થી સ્થાનિકો તેમજ રાહદારીઓ શાળા ના...
ৰাজ্যত অব্যাহত চোৰাং চাউলৰ বেহা। মৰাণৰ চেপনত কেইবাশ কুইণ্টল চৰকাৰী চোৰাং চাউল সহ আটক দুজন।
ৰাজ্য মুখ্যমন্ত্ৰীৰ ড৹ হিমন্ত বিশ্ব শৰ্মাই চৰকাৰে দৰিদ্ৰ ৰাইজলৈ যোগান বিনামুলীয় চাউল বিতৰণত কোনো...
पुरातील भयानक दृश्य | महिलेसह बाईक खांद्यावर उचलून गावकऱ्यांनी पार केली नदी । HPN MARATHI NEWS
पुरातील भयानक दृश्य | महिलेसह बाईक खांद्यावर उचलून गावकऱ्यांनी पार केली नदी । HPN MARATHI NEWS