સુરતના ઉધના-મગદલ્લા રોડ પર અંબાનગર પાસે રોકડિયા હનુમાનજી ના મંદિરમાંથી તસ્કરોએ ચાંદીના વાસણો, મુકૂટ અને ગદા તથા રોકડ મળી 50 હજારની ચોરી કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ ઘટનામાં પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી સીસીટીવી કેમેરાની મદદથી ગુનાનો ભેદ ઉકેલવાની તજવીજ હાથ ધરી છે. અંબાનગર ખાતે પથ્થરવાળી શેરીમાં રહેતા 44 વર્ષીય દીલીપભાઇ હરીભાઇ પટેલ ઉધના મગદલ્લા રોડ પર રોક઼઼ડિયા હનુમાનના મંદિરમાં પુજા પાઠ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવામાં આવી છે. ગત 4 તારીખે રાત્રે અજાણ્યા ચોર મંદીરનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અને મંદીરમાં રહેલા ચાંદીના 42 નંગ ઘર, ચાંદીના 3 ઝુલા, ચાંદીના પગલા, ચાંદીની ગદા, ચાંદીના 3 મુકુટ, તથા મંદીરમાં રહેલી હનુમાનજીની મુર્તી આગળ પડેલા રોકડા 1700 રૂપિયા ચોરી કરી ગયા હતા. કુલ 50 હજારની મત્તાની ચોરી હનુમાનજીના મંદિરમાં કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસે નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિદાય સમારોહ યોજાયો
એસ.ઝેડ.કિશોરી સાહેબ કાર્યપાલક ઇજનેર નો વિદાય સમારંભ ગુહાઈ ડેેમ ખાતે રાખવામાં આવેલ તેમને...
આણંદ વાસીઓ માટે jewellery exhibition
આણંદ વાસીઓ માટે jewellery exhibition
ગોરાડ ગામે NSS રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ખાસ શિબિરનું આયોજન કરાયું
શ્રી મોરજ કેળવણી મંડળ સંચાલિત શ્રી એલ.ડી.પટેલ વિદ્યા વિહાર મોરજ દ્ધારા NSS (રાષ્ટ્રીય સેવા યોજના)...
શહેરા માં રખડતા શ્વાન નો ત્રાસ
શહેરા નગરમાં રખડતા શ્વાનને લઈને નગરજનોમાં ભય ફેલાયો,રખડતા શ્વાનનો ત્રાસ દૂર કરવા નગરજનોની પાલિકા...