પાટડી તાલુકાનાં માલવણ-ખેરવા ગામ વચ્ચે એસ.ટી.બસ અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેમાં એક મહિલાનું મોત થયુ હતું અને સાત વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થઇ હોવાની વિગતો સામે આવી છે.બનાવની જાણવા મળતી વિગત એવી છેકે, બનાસકાંઠા જિલ્લાનાં ડીસા ગામમાં રહેતા બે ભાઈઓ દિવાળીની રજામાં પરિવાર સાથે ઈકો કારમાં ચોટીલા દર્શન કરવા ગયા હતા. તે પછી આ પરિંવાર મંગળવારે પોતાના ગામ પરત જઈ રહ્યો હતો ત્યારે પાટડી તાલુકાના માલવણ-ખેરવા ગામ વચ્ચે દ્વારકા-દિયોદર રૂટની એસ.ટી.બસ સાથે કારને અકસ્માત નડયો હતો. બસના ચાલકે આગળ જતી ઈકો કારને ટક્કર મારતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલા અનિલાબેન પ્રેમભાઈ પરિહારને પાટડી ખાતેની હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં હાજર ડોક્ટરે મૃત તેમને જાહેર કર્યા હતા. જ્યારે ઈજાગ્રસ્તો જાહ્નવી પ્રેમભાઈ પરિહાર અને ધર્મેન્દ્રભાઈ પરિહાર, વિરેન રાકેશભાઈ પરિહાર તથા ક્રિશીકા રાકેશભાઈ પરિહારને હાથે, પગે અને માથાના ભાગે ઈજાઓ થતા પાટડી હોસ્પિટલમા સારવાર આપવામાં આવી હતી. તેમજ એક બાળકીને આંખના ભાગે ગંભીર ઈજા થઇ હોવાનું જાણવા મળે છે. બનાવ બાદ બસચાલક બસ મુકીને ફરાર થઈ જતા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  মঙ্গলদৈত শিল্পী জিতু-তপনলৈ “সংগীত জ্যোতি” উপাধি বাৰেৰহণীয়া সাংস্কৃতিক মঞ্চ- অসমৰ 
 
                      শিল্পী জিতু-তপনলৈ “সংগীত জ্যোতি” উপাধি বাৰেৰহণীয়া সাংস্কৃতিক মঞ্চ- অসমৰ
 ...
                  
   તાલાલા પંથકમાં શિવસેના ગ્રુપ દ્વારા શિવસેના કા રાજા ગણપતિ મહોત્સવ 
 
                      તાલાલા પંથકમાં શિવસેના ગ્રુપ દ્વારા શિવસેના કા રાજા ગણપતિ મહોત્સવ
                  
   Anu Jain's Stock Picks:10 के दमदार Trades में जानें आज कौन से Stocks भरेंगे दम? |Business News | PSU 
 
                      Anu Jain's Stock Picks:10 के दमदार Trades में जानें आज कौन से Stocks भरेंगे दम? |Business News | PSU
                  
   'यह किस तरह की न्याय प्रणाली', कांग्रेस सांसद मनीष तिवारी ने कतर में 8 पूर्व नौसेना कर्मियों को मौत की सजा पर उठाए सवाल 
 
                      नई दिल्ली। कांग्रेस नेता मनीष तिवारी ने शनिवार को आठ सेवानिवृत्त भारतीय नौसेना कर्मियों को...
                  
   જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડ ના વિદ્યાર્થીઓને બોટાદ શહેરના વિવિધ કેન્દ્ર પર શુભેચ્છા આપવામાં આવી. 
 
                      Dharmendra lathigara, Botad
જનસેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ માનવ સેવાકીય ,...
                  
   
  
  
  
  
   
   
  