મોરબીનો ઐતિહાસિક પુલ તૂટી પડતા મોટી દૂર્ઘટના સર્જાઇ છે. ત્યારે આ બનાવને લઇને સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ અને તરવૈયાઓને મોરબી રવાના કરવામાં આવ્યા હોવાનુ વિગતો બહાર આવી હતી. બીજી તરફ સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ફાઇટરની ટીમને પણ સ્ટેન્ડબાય રખાઇ હતી. જોકે, સુરેન્દ્રનગરની મેડિકલ ટીમ પણ રવાના થઇ હતી.મોરબીનો રાજાશાહી સમયનો ઐતિહાસિક ઝુલતો પુલ આવેલો છે. ત્યારે આ પુલ પર ઝુલવા માટે તહેવારોના દિવસોમાં પણ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. આ દરમિયાન મોડી સાંજે અચાનક ઝુલતો પુલ તૂટી પડતા ગોઝારી ઘટના મોરબીમાં બની હતી. આ ઘટનાના પડઘા મોરબી જિલ્લા તેમજ સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજયમાં પડયા હતા.પુલ તુટવાના કારણે પુલ પરથી મોટી સંખ્યામાં નદીમાં પડી ગયાની વિગતો મળી રહી છે. ત્યારે આ બનાવને લઇને ધ્રાંગધ્રા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ તેમજ તરવૈયાઓને મોરબી રવાના કરાયા હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગર નગરપાલિકાના ફાયર ફાઇટર સહિતની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. મોરબીની દુર્ઘટનામાં અનેક લોકો નદીમાં ગરકાવ થયા હતા. જેમાંથી કેટલાક લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હજુ પણ કેટલાય લોકો નદીમાં હોવાનું જાણવા મળ્યું છે. જે લોકોને નદીમાંથી બહાર કાઢવા માટે ટીમો રવાના કરાઇ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખેડબ્રહ્મા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પાકિસ્તાનના વિદેશ મંત્રીના નિવેદન ને પગલે પ્રાંત કલેક
ખેડબ્રહ્મા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પાકિસ્તાનના વિદેશ મંત્રીના નિવેદન ને પગલે પ્રાંત કલેક
ಬೆಂಗಳೂರಿನ ಗಾಂಧಿ ಭವನದಲ್ಲಿ ಮೇ 12ರಂದು "ಬಸವ ಜಯಂತಿ ಹಾಗೂ ಬಸವಶ್ರೀ ಮತ್ತು ವಚನ ಸಾಹಿತ್ಯಶ್ರೀ ಪ್ರಶಸ್ತಿ ಪ್ರದಾನ ಸಮಾರಂಭ - 2024" ನಡೆಯಲಿದೆ.
ಮೇ 8, 2024
ಬೆಂಗಳೂರಿನ ಗಾಂಧಿ ಭವನದಲ್ಲಿ ಮೇ 12ರಂದು 'ಬಸವ ವೇದಿಕೆ - ಬೆಂಗಳೂರು' ವತಿಯಿಂದ "ಬಸವ ಜಯಂತಿ ಹಾಗೂ...
રાજુલાના ડુંગર ગામે આઠમાં તબક્કાનો સેવાસેતુ યોજાયો I Divyang News
રાજુલાના ડુંગર ગામે આઠમાં તબક્કાનો સેવાસેતુ યોજાયો I Divyang News
નેતા પાસે બાહેધરી લેવાય છે કે હું પક્ષ પલ્ટો નહીં કરું? તો પોલીસ પાસેથી કેમ બાહેધરી માગવામાં આવે છે?
નેતા પાસે બાહેધરી લેવાય છે કે હું પક્ષ પલ્ટો નહીં કરું? તો પોલીસ પાસેથી કેમ બાહેધરી માગવામાં આવે છે?