જીવદયા ફાઉન્ડેશન દ્વારા મીઠાઈનું વિતરણ કરાયું

જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ઠાકોરદાસ ખત્રી અવનવી સેવાકીય પ્રવૃતિઓ કરતા હોઈ છે તેવી જ રીતે દિવાળી પર્વ પર જરૂરિયાત મંદ લોકો પણ ઉત્સાહ પૂર્વક દિવાળીની ઉજવણી કરી શકે તે હેતુથી ઠાકોરદાસ ખત્રી દ્વારા કાળી ચૌદસ નિમિતે પાલનપુરમાં આવેલ હરીપુરા વિસ્તારમાં હિંગળાજ માં મંદિર પાસે. ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકોને મીઠાઈ નું વિતરણ કરી દિવાળી પર્વની ઉજવણી કરી હતી આ સેવાકીય કાર્યમાં જય માલાબેન ખત્રી,પરાગભાઇ સ્વામી, હરિભાઈ વિષ્ણુ મહારાજ, કાળુભાઇ મહારાજ વગેરે ઉપસ્થિત રહ્યા હતા