ધોળા-સોનગઢ વચ્ચેના સણોસરા રેલવે સ્ટેશનથી આજુબાજુના ઘણાં ગામોને રેલ સુવિધાનો લાભ મળી રહ્યો છે. પરંતુ સોથી નજીકના ઈશ્વરિયા ગામના લોકો માટે રેલવે સ્ટેશન જવા માટે હાલ સત્તાવાર કોઈ માર્ગ જ નથી. અગાઉ સણોસરા રેલવે સ્ટેશન પહોંચવા માટે સુગર રસ્તો હતો, પરંતુ રેલ માર્ગ પરિવર્તન, વિદ્ુતિકરણ દરમિયાન પુરાણ અને આ બાંધકામમાં આ રસ્તો દબાઈ જતાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. લોકો ચાલીને પણ સરળતાથી રેલવે સ્ટેશન પહોંચી શકતા નથી, ઈશ્વરિયા ગામની સુવિધા છીનવાતા દૈનિક અવર-જવર કરતા રત્નકલાકારો, નોકરિયા વર્ગ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને ભારે હાડમારી વેઠવી પડી રહી છે. આ સમસ્યા અંગે ઈશ્વરિયા ગ્રાહક સુરક્ષા મંડળ અને જિલ્લા યાત્રિકો સુરક્ષા સમિતિએ સ્થાનિક રેલવે તંત્ર તેમજ રેલ મંત્રાલય સુધી રજૂઆત કરી હતી. આ માર્ગનું કાર્યક્ષેત્ર રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ હસ્તક આવતું હોવાનું જણાવી હાથ ખંખેરી લીધા હતા. જ્યારે લોકોને પડતી અસુવિધા દૂર કરવામાં પદાધિકારીઓ-અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. જેથી ઈશ્વરિયા ગામના લોકોમાં રોષ ફેલાયો છે.