જસદણના ધારાસભ્ય કુવરજીભાઈ બાવળીયા દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો 28 સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા જસદણના બાયપાસ રોડ પર આવેલ ધીરુભાઈ ભાયાણી ની વાડીએ જસદણ શહેરના 28 જેટલા સમાજના આગેવાનોનું નવા વર્ષનું સ્નેહમિલન જસદણ વિંછીયા ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં રાખેલ હતું જેમાં દરેક સમાજના આગેવાનોએ આવનારી ચૂંટણીમાં કુંવરજીભાઈ બાવળિયાને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે અલગ અલગ સમાજના પ્રમુખ હોય એ પોતપોતાના સમાજની જવાબદારી લીધી હતી આ તકે દરેક સમાજના આગેવાનોએ પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા હતા ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા હસ્તે દરેક સમાજના આગેવાનો નું સન્માન કરવામાં આવ્યું હતું