રોશનીના મહાપર્વ સમુહ દિપોત્સવીના શુભારંભની સાથે જ સિહોરની બજારોમાં તેમજ અત્ર, તત્ર અને સર્વત્ર અનન્ય હર્ષોલ્લાસનો અનેરો માહોલ છવાયો છે. અને તમામ બજારોમાં દિવાળીના મહાપર્વની છેલ્લી ઘડીની ખરીદી માટે ચોમેર ભારે ધસારો જોવા મળ્યો હતો. શહેરની તમામ બજારોમાં પ્રકાશના મહાપર્વ સમુહ દિવાળોની ધૂમ જોવા મળી રહી છે. દિવાળીના મહાપર્વની છેલ્લી ઘડીની ખરીદી માટે બહોળી સંખ્યામાં આબાલવૃધ્ધ શહેરીજનો બાળ ગોપાળ સાથે સપરિવાર શહેરની સ્થાનિક બજારોમાં ઠેર ઠેર ટ્રાફિકની તેમજ ખાનગી વાહનના પાકિંગની સમસ્યા સર્જાઈ હતી. શહેરની રેડીમેડ કાપડ, ફૂટવેર, ગૃહ સુશોભન અને શણગાર, ઈલે કટ્ટીક, ઈલેકટ્રોનિકસ, હોમ એપ્લાયન્સીસની દુકાનો, શોરૂમ, મોલમાં ગ્રાહકોની ભારે ભીડના કારણે કેટલાય ગ્રાહકોએ તો દુકાનો, શોરૂમની બહાર વેઈટીંગમાં પ્રતિક્ષા કરવાનો વખત આવ્યો હતો. એટલુ જ નહિ છેલ્લા દિવસોમાં તો સ્થાનિક હેર કટીંગ સલુન, બ્યુટીપાર્લરવાળાઓ તેમજ મોડી સાંજથી ખાણી પીણીવાળાઓને ત્યાં પણ વેઈટીંગ જોવા મળતુ હતુ. શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ પ્રમાણમાં સારી એવી ખરીદી જોવા મળી હતી. જો કે, આવી સ્થિતિને લઈને સીઝનલ, છુટક વિક્રેતાઓમાં ભારે હર્ષ જોવા મળ્યો હતો. કોરોનાની મહામારીના કારણે ગત વર્ષે દિવાળીનો તહેવાર પરંપરા મુજબ ઉજવી શકાયો ન હતો, આ વર્ષે તમામ બજારોમાં તેનુ ગત વર્ષનું જાણે કે સાટુ વાળી દેવાનો અનેરો મિજાજ લોકોએ દેખાડયો હતો તેથી ખરીદીનો છેલ્લા દિવસોમાં ભારે કરન્ટ રહ્યો હતો. આ સાથે ઓનલાઈન શોપીંગના માર્કેટમાં પણ ભારે ગરમાવો જોવા મળ્યો હતો. જે હવે આગામી લગ્નગાળાની સીઝન સુધીજારી રહેશે તેવી વેપારીઓ આશા સેવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भूमि सुधार कार्यक्रम अंतर्गत जिले के 600 कृषकों को निशुल्क जिप्सम मिलेगा, सुधरेगा मिट्टी की उर्वरकता
मुख्यमंत्री भजनलाल शर्मा के बजट घोषणा के तहत भूमि सुधार कार्यक्रम के अंतर्गत जिले किसानों को...
વલસાડમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલએ ગત રાત્રે તિથલ દરિયે જઈ કરી આત્મહત્યા | Valsad News
વલસાડમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલએ ગત રાત્રે તિથલ દરિયે જઈ કરી આત્મહત્યા | Valsad News
બનાસકાંઠા કલેક્ટર નો ચાર્જ સંભાળતા શ્રી વરૂણ કુમાર બરનવાલ સાહેબ.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તરીકે શ્રી વરૂણકુમાર બરનવાલે ચાર્જ સંભાળ્યો,,,આજ રોજ બનાસકાંઠા જિલ્લાના...
Redmi Note 13R Pro: 12GB रैम और 5000mAh बैटरी के साथ लॉन्च हुआ नया फोन, चेक करें कीमत और फीचर्स
रेडमी ने अपने यूजर्स के लिए एक नया स्मार्टफोन लॉन्च कर दिया है। कंपनी ने यूजर्स के लिए Redmi Note...
તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘ સમિતિ ની કારોબારી ની બેઠક યોજાઇ
તલોદ તાલકાના ભારતીય કિસાન સંઘ સમિતિ ની કારોબારી ની બેઠક તલોદ માર્કેટ યાર્ડ ના બોર્ડ રૂમ મા મળી