આશુતોષ અન્નક્ષેત્ર તળાજા દ્વારા છેલ્લા ચાર વર્ષથી વિવિધ સામાજિક પ્રવૃત્તિનો થઇ રહી છે. જાણીતા શિવકથાકાર ભારદ્વાજબાપુએ આ વર્ષે નવી સંકલ્પના આપી છે ‘દિવાળી પહેલા દિવાળી’. એ અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને જરૂરી ચીજ વસ્તુ પહોંચાડવામાં આવી. આ દિવાળી પર ઝૂપડપટ્ટી તેમજ નિરાધાર બાળકોને ફટાકડા વિતરણ કરી એમના જીવનમાં અજવાળું પાથર્યું,                                                             બાળકો સાથે ફટાકડા ફોડી અને આતિષબાજી સાથે બાળકોના ચહેરા પર આનંદનો ઉજાસ એટલો હતો કે ફટાકડાના પ્રકાશ કરતા પણ બાળકોના ચહેરા પર વધારે તેજ હતુ.એનો આનંદ ભરદ્વાજબાપુએ વ્યક્ત કર્યો હતો.                      આશુતોષ અન્નક્ષેત્રના કાર્યકરો દ્વારા અત્યારે નોંધણીનું કામ ચાલે છે. વિશેષ માહિતી માટે સંપર્ક કરી શકો છો... ૯૯૭૯ ૩૪૩૪૩૪