સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેરાડી ગામે મહિલા પર ધારીયા વડે જીવલેણ હુમલાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં મહિલાને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે આ બનાવ અંગે જોરાવરનગર પોલિસ મથકે ફરીયાદ નોંધવામાં આવી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં હવે મહિલાઓ પણ સલામત ન હોવાનું પુરવાર થઈ રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા મથકોએ છેડતી હુમલા સહિતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેરાળી ગામ ખાતે બાજુમાં રહેતા અને અવારનવાર સામાન્ય વાતને લઈને બોલાચાલી થતા મહિલા ઉપર ધારીયા વડે હુમલો કરી અને ઘાયલ કરવામાં આવ્યા છે.આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાને લોહિલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે ઘટનાસ્થળે પોલીસ દોડી જઈ અને ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરી છે. આ બનાવ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર વઢવાણ તાલુકાના ખેરાડી ગામ ખાતે રહેતા પૂનમબેન હસમુખભાઈ નામની મહિલાને જયેશ લખમણ રોજાસરા નામના વ્યક્તિએ ધારીયા વડે હુમલો કરી અને ઇજા પહોંચાડતા તાત્કાલિક અસરે તેમને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ બંને આજુબાજુમાં રહેતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ट्रेन में यात्रियों को जिंदा जलाने वाले आरोपी शाहरुख सैफी की बढ़ी मुश्किलें, जांच टीम लगाएगी UAPA की धारा
केरल पुलिस (Kerala Police) की एक स्पेशल टीम ने ट्रेन में लगाई आग की घटना को आतंकी घोषित कर दिया...
પંચમહાલ હાલોલ પાવાગઢ રોડઉપર ટાયરની દુકાન મા ભીષણઆગ આગ લાગવાનું કરણ અકબંધ.
પંચમહાલ હાલોલ પાવાગઢ રોડઉપર ટાયરની દુકાન મા ભીષણઆગ આગ લાગવાનું કરણ અકબંધ.
Understanding Indian Navy's new Ensign | A tribute to Chhatrapati Shivaji Maharaj
Indian Navy's new ensign bears the seal of the Maratha emperor Chhatrapati Shivaji Maharaj, who...
तिरुपति लड्डू विवाद- जगन को मंदिर जाने की इजाजत नहीं:पूर्व CM बोले- घर में बाइबिल पढ़ता हूं लेकिन सभी धर्मों का सम्मान
आंध्र प्रदेश के पूर्व CM जगन मोहन रेड्डी ने तिरुपति मंदिर का दौरा कैंसिल कर दिया। जगन रेड्डी ने...
બીથલી ગામે નિર્માણ થનાર નવીન શાળાના નાં મકાનનું ઈ ખાતમુહૂર્ત કરાયું જુવો 👇👉
બીથલી ગામે નિર્માણ થનાર નવીન શાળાના નાં મકાનનું ઈ ખાતમુહૂર્ત કરાયું જુવો 👇👉