ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જૂનાગઢ પધારનાર હોય
શહેરમાં સફાઈ જળવાય રહે તે હેતુથી તમામ વોર્ડમાં વાલ્મીકી સમાજ જૂનાગઢ અને સફાઈ
કામદાર કર્મચારી યુનિયનના સહયોગથી માન.મેયર શ્રી ગીતાબેન પરમારના માર્ગદર્શન
હેઠળ સફાઈ કર્મચારીઓ ધ્વારા રોજ વોર્ડ નંબર - ૯,
વોર્ડ ઓફીસ દાતાર રોડ ખાતેથી "માનદ સેવા સફાઈ અભિયાન" નો પ્રારંભ કરવામાં
આવેલ હતો. જેમાં અંદાજીત ૯૦૦ સફાઈ કામદાર ધ્વારા શહેરની સફાઈ કરવામાં આવેલ.
આ અભિયાનમાં. માન.મેયર શ્રી ગીતાબેન પરમાર, ડે.મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા,
સ્ટેન્ડીંગ ચેરમેન - હરેશભાઈ પારસણા, સેનીટેશન સુપ્રી. શ્રે કલ્પેશભાઈ ટોલીયા, પર્યાવરણ
ઇજનેર શ્રી રાજેશભાઈ ત્રિવેદી, કોર્પોરેટર શ્રી એભાભાઈ કટારા, શ્રી ધીરુભાઈ ગોહેલ, શ્રી
ચેતનાબેન ચુડાસા, ભાજપ અગ્રણી શ્રી મોહનભાઈ પરમાર, શ્રી શૈલેષભાઈ દવે, શ્રી
અશોકભાઈ ભટ્ટ,શ્રી યોગીભાઈ પઢીયાર, શ્રી ચંદ્રિકાબેન રાખશીયા, પ્રમુખ વાલ્મીકી સમાજ -
શ્રી મુકેશભાઈ બોરેચા, ઉપ પ્રમુખ સફાઈ કામદાર શ્રી પ્રેમજીભાઇ ચુડાસમા, વાલ્મીકિ
સમાજ પ્રમુખ શ્રી.દિનેશભાઈ ચુડાસમા, અને વાલ્મીકિ સમાજ પ્રમુખ વિજયભાઈ એમ
વાળા તેમજ વાલ્મીકિ સમાજ આગેવાન હસમુખભાઈ પરમાર, વાલ્મીકિ સમાજ આગેવાન
સુનીલભાઈ બોરેચાની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો.
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ
M 8780666396