"કાંકરેજની ધન્ય ધરા" પુસ્તકનું વિમોચન કરાયું ..બનાસકાંઠા જિલ્લાનું પચીસ વર્ષથી નિયમિત પ્રસિદ્ધ થતું અગ્રણી અખબાર પાલનપુર સમાચાર દૈનિક દ્વારા કાંકરેજ તાલુકાના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોના ઇતિહાસ રજુ કરતું "કાંકરેજની ધન્ય ધરા" પુસ્તકનું થરા પાસે આવેલ દેવ દરબાર જાગીર મઠના મહંતશ્રી 1008 બળદેવનાથ બાપાના સાનિધ્યમાં અને મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલાના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.કાંકરેજ તાલુકાના દેવ દરબાર જાગીર મઠ ખાતે પુર્વ મંત્રી શ્રી અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિર્તીસિંહ વાઘેલા, પાલનપુર સમાચારના નિવાસી તંત્રી તેમજ જિલ્લા ભાજપ મીડિયા સેલના કન્વીનર રશ્મિકાન્ત મંડોરા,થરા શહેર ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા,પ્રોફેસર દેવેન્દ્રસિંહ ઝાલા દ્વારા દેવ દરબાર જાગીર મઠના 1008 મહંતશ્રી બળદેવનાથ બાપાનું ફુલહાર તેમજ શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ પાલનપુર સમાચાર દૈનિકને કાંકરેજ તાલુકાના ધાર્મિક સ્થળોની દુર્લભ માહિતી પીરસતું પુસ્તક પ્રસિદ્ધ કરવા બાદલ ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આગેવાનોએ પાલનપુર સમાચાર દૈનિક દ્વારા કરાયેલા પ્રયાસ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ જીણુંભા વાઘેલા, જાગીરદાર સમાજના ઉપપ્રમુખ વિજુભા વાઘેલા, કાંકરેજ તાલુકા ભાજપ ઉપપ્રમુખ વિજુભા વાઘેલા, વડા ગામના પૂર્વ સરપંચ તલુભા વાઘેલા, માનપુર ગામના પૂર્વ સરપંચ રણુભા વાઘેલા, થરા નગરપાલિકાના કોર્પોરેટર ભુપતભાઈ ગોહિલ, ભારતીય જનતા પાર્ટીના મંત્રી પૂનમસિંહ ડાભી, ભારતીય જનતા પાર્ટીના વડા શક્તિ કેન્દ્ર એકના પ્રમુખ વનરાજસિંહ, નવુભા, દલુભા, કનુભા, વિરમસિંહ, જનકસિંહ ઝાલા, નાના જામપુર સરપંચ પેલાદજી ઠાકોર, અલ્પેશભાઈ શાહ, ભુપતજી ઠાકોર તેમજ કાંકરેજ તાલુકામાંથી મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો, માનનીય પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ પાલનપુર સમાચારના જિલ્લા પ્રતિનિધિ ભલુભા વાઘેલાએ કરી હતી...