રાજુલા જાફરાબાદ ખાંભામાં વાવાઝોડામાં નુકશાન થયેલ સૌર ઊર્જા સંચાલિત પંપસેટને નવા ખેતીવાડી વીજ કનેકશન આપવા માંગ........

રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારમાં વાવાઝોડા દરમિયાન લોકોને અનેક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે ખેડૂતોને સૌર ઊર્જા સંચાલિત પંપસેટને નુકસાન થતાં અત્યારે સિંચાઈ માટે વીજ પુરવઠોની ખાસ જરૂરિયાત છે. ત્યારે ખેડૂતો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરતા ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા ઉર્જા મંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, મારા વિધાનસભા મત વિસ્તારના વિવિધ ગામના ૩૦ થી વધુ ખેડૂતોની રજૂઆત અન્વયે તેઓએ ખેતીવાડી સિંચાઈ માટે સૌર ઊર્જા સંચાલિત સિંચાઈ પંપસેટ લીધેલ, જેમાં તેઓની સાથે કરેલા એગ્રીમેન્ટ મુજબ, સૌર ઉર્જા પંપસેટની માંગણી વાળા સર્વે નંબરમાં સૌર ઉર્જા પંપ મેળવ્યા તારીખ થી પાંચ વર્ષ સુધી પરંપરાગત કૃષિ વીજ જોડાણ મેળવવા હકદાર રહેશે નહીં તથા બધાજ લોકોને છ-સાત વર્ષ થયેલ હોય તેમ છતાં દોઢ વર્ષ પહેલા તા. ૧૭/૦૫/૨૦૨૧ માં આવેલ વિનાશક તૌકતે વાવાઝોડા થી રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં લાખો રૂપિયાનું નુકસાન થયેલ હતું. જે પી.જી.વી.સી.એલ ની બધીજ કચેરીઓમાં નોંધ હશે જ. આ વાવાઝોડાથી સૌર પંપસેટને નુકસાન થવાથી ચાલતું ન હોવાથી ખેતીપાક તેમજ વૃક્ષોને નુકસાન થઈ રહ્યું છે. જેથી તેઓએ રાજુલાની લોકલ પી.જી.વી.સી.એલની કચેરીમાં નવા ખેતીવાડી કનેક્શન માટે અરજી કરેલ હતી. પરંતુ ત્યાંથી સરકારની ખોટી પોલિસીથી રદ કરવાના પત્રો મોકલેલ છે. પરંતુ અરજદારો નિયમ મુજબ નવા પરંપરાગત કૃષિ વીજ લેવાના હકદાર છે. તો તેઓને સત્વરે વીજ કનેક્શન આપવા માટે પત્ર દ્વારા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરવામાં આવી હતી.......

રીપોર્ટર: ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.