કઠલાલ તાલુકામાં આવેલ કમાન્ડો તાલીમ કેન્દ્ર ખલાલ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં હર ઘર તિરંગા અંતર્ગત રાષ્ટ્રધ્વજ ને ઘેર ઘેર પહોંચાડવાના ઉદ્દેશ્યથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સંસ્થાના નાયબ પોલીસ અધિક્ષક એન.વી.ચૌહાણ પી આઇ એન.એ.પરમાર તેમજ પી એસ આઈ આર.કે.કાંબરીયા સહિત સ્ટાફ ના જવાનો ઉપસ્થિત રહી ઉત્સાહપૂર્વક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.