દેશમાં વધતી ગરીબી બેકારી મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી દ્વારા કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા અભિયાન શરૂ થયું છે. આ ભારત જોડો યાત્રાના સમર્થનમાં ભાવનગર જશોનાથ ચોકથી પદયાત્રાનું પ્રસ્થાન તા. ૩૦ રવિવારે બપોરના 3 વાગ્યે કરવામાં આવશે. આ પદયાત્રામાં રાષ્ટીય કોંગ્રેસના નેતા અને ભાવનગરનું ઘરેણુંની આગેવાનીમાં, આ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.ભાવનગર સહિત સમગ્ર દેશમાં ભાજપના શાસનમાં મોંઘવારી, બેરોજગારી અને નશાખોરી સહિતની સમસ્યાઓથી પ્રજા પરેશાન, ત્રસ્ત છે છતાં સરકાર નાગરિકોને રાહત થાય તેવા કોઈ પગલાં ભરતી નથી ત્યારે પ્રજાની સમસ્યાને વાચા આપવા પદયાત્રા યોજવામાં આવશે. કોંગ્રેસ પ્રવક્તા જયદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાજપના શાસનથી રાજ્યની પ્રજા ત્રસ્ત, પરેશાન છે. ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં અનેક સમસ્યાઓ છે, ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. મધ્યમ અને નિપ્ન મધ્યમ વર્ગના વિધાર્થીઓ ઊંચી ફી ભરી શકતા ન હોવાથી શિક્ષણથી વંચિત રહે છે. શિક્ષિત અને અર્ધ શિક્ષિત યુવાનો બેરોજગારીથી પરેશાન છે. રાજયમાં દારુ, ડ્રગ્સ સહિત નશાખોરી માદક દ્રવ્યનું બેરોકટોક વેચાણ અને ગુનાખોરીનું રાજ પ્રવર્તી રહ્યાં છે ત્યારે સરકારની આંખ ઉઘાડવા માટે ભાવનગર જિલ્લા કોંગ્રેસ દ્વારાપદયાત્રા યોજાઈ રહી છે જેમાં શક્તિસિંહ ગોહિલની આગેવાની આ પદ્યાત્રાનું આયોજન થયું છે. જિલ્લાભરના લોકો આ યાત્રામાં જોડાશે આ યાત્રાના આયોજનના ભાગરૂપે સિહોર ખાતે આવતીકાલે કોંગ્રેસની બેઠક પણ મળનારી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সমাজকৰ্মী,কবি,লেখক উৎপল বনিয়ালৈ Golden Award 2024
অসমীয়া গহনাৰ জনপ্ৰিয় প্ৰতিষ্ঠান ডুগডুগী ৰ স্বতাধিকাৰী তথা কবি, লেখক,সমাজকৰ্মী উৎপল বনিয়া লৈ...
મીશોએ ભારતમાં કરિયાણાનો વ્યવસાય બંધ કર્યો, 300 કર્મચારીઓની નોકરીમાંથી છટણી કરી
હોમગ્રોન સોશિયલ કોમર્સ પ્લેટફોર્મ મીશોએ ભારતના 90 ટકાથી વધુ શહેરોમાં (નાગપુર અને મૈસૂર સિવાય)...
New Zealand: ऑकलैंड में भारत जल्द खोलेगा वाणिज्य दूतावास, राष्ट्रपति मुर्मु का न्यूजीलैंड में बड़ा एलान
ऑकलैंड। राष्ट्रपति द्रौपदी मुर्मु ने शुक्रवार को कहा कि न्यूजीलैंड के साथ राजनयिक संबंधों को...
રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ધુળેટી ની ભવ્ય ઉજવણી..
રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ધુળેટી ની કરવામાં આવી ઉજવણી......પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ડીજેના તાલે...
सुंगरहा से चारो धाम के लिय तीर्थ यात्री हुए रवाना
गुनौर : चारों धाम की यात्रा एवं प्रमुख तीर्थ स्थलों के दर्शन के लिए श्रद्धालुओं का जत्था...