*સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે પોકસો એક્ટની જાગૃતતા માટે દાંતા તાલુકા કાનૂની સેવા સમિતિ, દાંતા કોર્ટ દ્વારા સેમિનાર યોજાયો*...

      આજ રોજ સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા પોકસો એક્ટની જાગૃતતા માટે ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં નામદાર પ્રિન્સિપાલ સિવિલ જજ સાહેબ અને નામદાર એડી. સિવિલ જજ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેઓશ્રીએ બાળકને ખુબ જ સરસ રીતે સરળ શૈલીમાં કાયદાનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શ્રી એન એ રાયજાદાએ કર્યું હતું.શાળાના આચાર્યશ્રી અને સુપરવાઈઝરશ્રીએ કાર્યક્રમને ખુબ જ અસરકારક બનાવ્યો હતો........રિપોર્ટર ગોવિંદ ઠાકોર .દાંતા