તળાજા પાલીતાણા રોડ ઉપર આવેલ દિવાળીયા ધાર ખાતેના સુપ્રસિદ્ધ ગુરુદત્તાત્રે આશ્રમ ખાતે આગામી નવા વર્ષમાં તુલસી વિવાહ પ્રસંગ અંગેની આયોજન માટેની બેઠક યોજવામાં આવી હતી.તેમાં સ્વયંસેવકો, કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અહીં તુલસી વિવાહના પ્રસંગે પંચમુખી હનુમાનજી મહારાજ ના મંદિરની ખાતમુરત વિધિ પણ યોજાનાર છે. આજુબાજુના ગામ આગેવાનો સાથે મળેલ મિટિંગમાં ગૌધામ કોટીયા ગામ ખાતે ભવ્ય તુલસીવિવાહ લગ્નોત્સવ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં કરવાના ભાગરૂપે મહંત લહેરગીરીબાપુની ઉસ્થિતિ માં બેઠક સંપન્ન થઈ હતી.