સુરેન્દ્રનગર જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસે આવેલ સરદાર સ્થાનકવાસી જૈન સંઘના સભ્ય એવા ઉષાબેન નું 38 માં ઉપવાશે અવસાન થતા જૈન સમાજ ના લોકો પાલખી યાત્રામાં જોડાયા હતા.પૂ. પુ. બંધુબેલડી ડો. નિરંજનમુની તથા ચેતનમૂની ની પાવન નિશ્રા માંશ્રી સરદાર સ્થાનકવાસી જૈન સંઘ ને આંગણે પુજ્ય ઉષાબેન બિપિનચંદ્ર શાહ (શેખપર વાળા) નો આજે ૩૮ માં ઉપવાસે સાતા પૂર્વક એવમ સમતા પૂર્વક સંથારો સીઝી ગયેલ છે.તેમની પાલખી યાત્રા તા:- 12-10-22, સવારે ૯:૦૦ વાગ્યે, ૩ર, ચેતના સોસાયટી, સરદાર ઉપાશ્રય પાસે થી નીકળી વાયા જવાહર રોડ, હેન્ડલુમ થઈ ને પાવર હાઉસ વાળા મોક્ષધામ પહોંચી હતી જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા ત્યારે તપસ્વી અમર રહો ના નારાથી જ વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું