વઢવાણ શહેરમં અંદાજે રૂ. 45 કરોડના ખર્ચે ભૂર્ગભ ગટરની કામગીરી કરાઇ હતી. પરંતુ વર્ષો બાદ પણ હાલમાં વઢવાણ ભોગાવા નદી ધોળીપોળ જૂના પુલ નીચે તેમજ મોક્ષધામની બાજુમાં લાખોની કિંમતના ભૂર્ગભ ગટરોના પાઇપો ધૂળ ખાતા દેખાતા શહેરીજનોમાં અનેક સવાલો ખડા થયા છે. સુરેન્દ્રનગર-વઢવાણ શહેરની જનતાની પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે રૂ. 56 કરોડની પાણીની યોજનાનું કામ જીયુડીસી દ્વારા પુરૂ કરવા છતા દરરોજ અનેક જગ્યાએ પાણીની લાઇનો તૂટવાના કારણે પાણી વિતરણની મુશ્કેલી પડી રહે છે.તો બીજી તરફ ભૂર્ગભ ગટરોમાંથી પણ ગંદા પાણીના કારણે શહેરીજનો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. કારણ કે વઢવાણ નગરપાલિકામાં 2005 બાદ મોટા ઉપાડે કરોડોના ખર્ચે ભૂર્ગભ ગટરનો પ્લાન સાથે કામગીરી કરાતા શહેરીજનોમાં આનંદ ફેલાયો હતો. આ તમામ કામગીરી જીયુડીસી દ્વારા થઇ હોવા છતાં પાણીનો યોગ્ય નિકાલ થતો નથી. રૂ. 45 કરોડનાં ખર્ચે જમીનમાં ઉતારી દેવામાં આવેલી આ ગટરોનાં કામમાં કુંડીઓ પણ હલકી ગુણવતાવાળી તેમજ બિનઉપયોગી થઇ રહી હોવાના ઘાટ સર્જાયો છે.જ્યારે કેટલાક વિસ્તારોમાં ગટર સાથે કુંડીઓનાં જોડાણ પણ જોડાયા ન હોવાની શહેરના નવા વિસ્તારો સહિતઆ કામગીરી બાકી હોવાની બૂમરાણો ઉઠી છે. આ અંગે મહેશભાઇ પરમાર, કિશોરભાઈ મકવાણા વગેરે જણાવ્યુ કે, જ્યાં ગટરો નાંખવામાં આવી છે ત્યાં હજુ સુધી પાણીનો નિકાલ થતો નથી. પહેલા જે ખૂલ્લી ગટરો હતી તેમાંય આટલી મુશ્કેલી પડતી ન હતી. અવારનવાર ગંદા પાણી ભૂર્ગભ ગટરના બહાર આવતા ઘરોની આગળ તેમજ રસ્તા પર ગંદા પાણી ઉભરાતા રોગચાળાનો ભય રહે છે. માટે આ પાણીનો વ્યવસ્થીત નિકાલ કરવામાં આવે તો છાશવારે ફેલાતા આ ગંદા પાણીમાંથી મુક્તિ મળે. ભૂર્ગભ ગટરના પાણી બહાર આવતા રહીશોને જાતે સફાઇ કરવી પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पुस धरणाच्या डॅमवर पर्यटकांचा मुक्त संचार सुरक्षा रक्षक तैनात नसल्यामुळे दुर्दैवी घटना घडण्याची शक्यता
पुसद तालुक्यातील पुस धरण यावर्षी लवकरच ओव्हरफ्लो झाल्यामुळे धरणाच्या सांडव्यावरुन मोठया प्रमाणात...
পূজাৰ কাপোৰ কিনিবলৈ গৈ হোজাইৰ যোগীজানৰ এজন যুৱক নিৰুদ্দেশ
হোজাইৰ যোগীজানৰ এজন যুৱক নিৰুদ্দেশ হোৱা ঘটনাই চিন্তিত কৰি তুলিছে পৰিয়ালৰ লগতে স্থানীয় ৰাইজ।...
બિહારમાં BJP-JDU ગઠબંધન તૂટ્યું, નીતીશ સાંજે 4 વાગ્યે રાજ્યપાલને મળશે
સૂત્રોના હવાલાથી એવા સમાચાર પણ આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના 16 મંત્રીઓ રાજીનામું નહીં...
ইতিবাচক খবৰ
গহপুৰৰ ৰাওনমুখ পঞ্চায়তৰ চৰাইবাৰী গাঁৱৰ নিবাসী লুকুমী পেগু আৰু লক্ষ্যই মিলি পেগুৰ সু-সন্তান...
Uncle Chiranjeevi's First Look Review of Pushpa 2 by Allu Arjun. - Newzdaddy
Sukumar is the film's writer and director.
Allu Arjun. the actor turns 41. For the...