વઢવાણ શહેરમં અંદાજે રૂ. 45 કરોડના ખર્ચે ભૂર્ગભ ગટરની કામગીરી કરાઇ હતી. પરંતુ વર્ષો બાદ પણ હાલમાં વઢવાણ ભોગાવા નદી ધોળીપોળ જૂના પુલ નીચે તેમજ મોક્ષધામની બાજુમાં લાખોની કિંમતના ભૂર્ગભ ગટરોના પાઇપો ધૂળ ખાતા દેખાતા શહેરીજનોમાં અનેક સવાલો ખડા થયા છે. સુરેન્દ્રનગર-વઢવાણ શહેરની જનતાની પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે રૂ. 56 કરોડની પાણીની યોજનાનું કામ જીયુડીસી દ્વારા પુરૂ કરવા છતા દરરોજ અનેક જગ્યાએ પાણીની લાઇનો તૂટવાના કારણે પાણી વિતરણની મુશ્કેલી પડી રહે છે.તો બીજી તરફ ભૂર્ગભ ગટરોમાંથી પણ ગંદા પાણીના કારણે શહેરીજનો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. કારણ કે વઢવાણ નગરપાલિકામાં 2005 બાદ મોટા ઉપાડે કરોડોના ખર્ચે ભૂર્ગભ ગટરનો પ્લાન સાથે કામગીરી કરાતા શહેરીજનોમાં આનંદ ફેલાયો હતો. આ તમામ કામગીરી જીયુડીસી દ્વારા થઇ હોવા છતાં પાણીનો યોગ્ય નિકાલ થતો નથી. રૂ. 45 કરોડનાં ખર્ચે જમીનમાં ઉતારી દેવામાં આવેલી આ ગટરોનાં કામમાં કુંડીઓ પણ હલકી ગુણવતાવાળી તેમજ બિનઉપયોગી થઇ રહી હોવાના ઘાટ સર્જાયો છે.જ્યારે કેટલાક વિસ્તારોમાં ગટર સાથે કુંડીઓનાં જોડાણ પણ જોડાયા ન હોવાની શહેરના નવા વિસ્તારો સહિતઆ કામગીરી બાકી હોવાની બૂમરાણો ઉઠી છે. આ અંગે મહેશભાઇ પરમાર, કિશોરભાઈ મકવાણા વગેરે જણાવ્યુ કે, જ્યાં ગટરો નાંખવામાં આવી છે ત્યાં હજુ સુધી પાણીનો નિકાલ થતો નથી. પહેલા જે ખૂલ્લી ગટરો હતી તેમાંય આટલી મુશ્કેલી પડતી ન હતી. અવારનવાર ગંદા પાણી ભૂર્ગભ ગટરના બહાર આવતા ઘરોની આગળ તેમજ રસ્તા પર ગંદા પાણી ઉભરાતા રોગચાળાનો ભય રહે છે. માટે આ પાણીનો વ્યવસ્થીત નિકાલ કરવામાં આવે તો છાશવારે ફેલાતા આ ગંદા પાણીમાંથી મુક્તિ મળે. ભૂર્ગભ ગટરના પાણી બહાર આવતા રહીશોને જાતે સફાઇ કરવી પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  બોટાદ શહેરમાં દીવાળી ને લઈ લોકો ની ભીડ ઉમટી વેપારીઓમાં ખુશીનો માહોલ સર્જાયો. 
 
                      બોટાદ શહેરમાં દીવાળી ને લઈ લોકો ની ભીડ ઉમટી વેપારીઓમાં ખુશીનો માહોલ સર્જાયો.
                  
   ડીસાના કાંટ ખાતે શ્રી સર્વોદય સંકુલના રજત જ્યંતિ મહોત્સવ અને નામકરણ સમારોહને ખુલ્લો મુકતા ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી.. 
 
                      ડીસાના કાંટ ખાતે શ્રી સર્વોદય સંકુલના રજત જ્યંતિ મહોત્સવ અને નામકરણ સમારોહને ખુલ્લો મુકતા ગૃહ...
                  
   સરહદ પર સેંકડો મસ્જિદો અને મદરેસાઓ શા માટે બાંધવામાં આવી રહ્યા છે? શું છે પાકિસ્તાનનો નવો પેંતરો 
 
                      નેપાળ-ભારતના સરહદી વિસ્તારોમાં સેંકડો નવી મસ્જિદો અને મદરેસાઓ બનાવવામાં આવી રહી છે. સરહદ પર થઈ...
                  
   मेघवाल समाज के नवनिर्वाचन चुने गए पदाधिकारीयो को पूर्व विधायक के आवास पर स्वागत केशोरायपाटन   
 
                      मेघवाल समाज के नवनिर्वाचन चुने गए पदाधिकारीयो को  पूर्व विधायक के आवास पर स्वागत...
                  
   অৱশেষত মুকলি আকাশৰ তললৈ বক্সাৰ প্ৰণীতা চুতীয়া  
 
                      অৱশেষত মুকলি আকাশৰ তললৈ বক্সাৰ প্ৰণীতা চুতীয়া। সোণাৰিস্থিত চৰাইদেউ জিলা সত্ৰ ন্যায়াধীশৰ আদালতে...
                  
   
  
  
  
   
  