શ્રી શિવકૂંજ આશ્રમ જાળિયા ખાતે શ્રાવણ માસ પ્રસંગે યજ્ઞ આયોજન થયું છે.પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સર્વત્ર વિવિધ ધાર્મિક આયોજનો થતાં હોય છે, જેમાં જાળિયા ગામે શ્રી શિવકુંજ આશ્રમમાં ભાવિક સેવકોના આયોજન સાથે વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞનું આયોજન થયું છે.શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્ય આયોજન સાથે પૂરા શ્રાવણ માસ દરમિયાન યોજાયેલા યજ્ઞમાં ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પણ થઈ રહી છે.સિહોર તાલુકાના જાળિયા ગામે શ્રી શીવકુંજ આશ્રમમાં વિશ્વ કલ્યાણ હેતુ યોજાયેલા આ યજ્ઞ સાથે સત્સંગ સંકીર્તન અને પ્રસાદ લાભ મળી રહ્યો છે.