પાટણ માં દેવીપુજક સમાજ

માં હર્ષ ઉલ્લાસ અને આનંદનું વાતાવરણ સર્જાયું.

પાટણના બકરાતપુરા ખાતે આવેલ પટણી દેવીપૂજક સમાજના દેવકાહાર ધામમાં માતાજીના મંદિર માં મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠાના કાયૅક્રમ નુ આયોજન ટૂંક સમયમાં કરવામાં આવનાર છે . માતાજીની મૂર્તિઓ રાજસ્થાન ના મકરાણા ખાતે તૈયાર કરવામાં આવી છે . આજરોજ તૈયાર થયેલ મૂર્તિઓ પાટણમાં લાવવામાં આવતા પાટણના સમગ્ર દેવીપૂજક સમાજમાં હર્ષ ઉલ્લાસ અને આનંદ નું વાતાવરણ સર્જાયું હતું. દેવીપૂજક સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા અને ભાવવિભોર બની મૂર્તિઓ ના વધામણાં કર્યા હતા.

રિપોર્ટ:-રાજેશ જાદવ પાટણ