સુરત શહેરના પલસાણા વિસ્તારમાં ૩૦ વર્ષીય યુવાને પંખા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

પલસાણા તાલુકાના વરેલી ખાતે આવેલ વ્રજધામ સોસાયટીમાં રામ નારાયણ યાદવની બિલ્ડીંગમાં એક 30 વર્ષીય યુવકે પંખા સાથે રૂમાલ બાંધીને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હતી સવારે એક વ્યક્તિએ જોતા જ તેણે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાણ કરતા બિલ્ડીંગ માલિક આવીને 108ને જાણ કરી હતી 108માં આવેલ ડોક્ટરે તેને મૃત જાહેર કરતા લડોસર પોલીસને જાણ કરી હતી કડોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબ્જો મેળવી યુવાને ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે દિશામાં તપાસ હાથધરી છે.