વઢવાણ મહાજન પાંજરાપોળમાં 750થી વધુ ગૌવશં આશરો લઇ રહ્યા છે. જેમાં 22 વાછરડા લમ્પીરોગ અંતર્ગત શંકાસ્પદ જણાયા હતા. ત્યારે પશુ દવાખાનાની ટીમ અને સેવાભાવી લોકો દ્વારા સારવાર કરાતા 21 વાછરડા સ્વસ્થ બન્યા જ્યારે 1 વાછરડાનું મોત થયું હતું. ગુજરાતમાં લમ્પી સ્કીન ડિસિઝ રોગે પશુમાં કાળો કેર વર્તાવેલો હતો. અસંખ્ય ગાયોના મોત થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ મહાજન પાંજરાપોળમાં 750થી વધુ ગૌવંશ આશરો લઇ રહ્યા છે. તેમને આ બિમારીથી બચાવવા સંસ્થાના પશુદવાખાનાના નિવૃત્ત નાયબ પશુપાલન નિયામક ડો. કે.એલ.રાવલ, આસિસ્ટન્ટ મયુરભાઈ શાહ,સેવાભાવી ધર્મેન્દ્રસિંહ, કામદાર ખોડાભાઈ અને અર્જુનભાઈની ટીમ દ્વારા સરકારના ડોકટરની ટીમ દ્વારા પશુોનું રસીકરણ કરાવ્યું હતું. જેમાં શંકાસ્પદ 22 વાછરડાને તેમના વાડામાંથી અલગ કરી અગમચેતીથી તા. 13-9થી 17-9 સુધી જુદા બંધાવી દવાખાનાની ટીમ દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હતી. જેમાં એલોપથી દવા ઇન્જેકશન, આયુર્વેદિક દવાનું પ્રવાહી છંટકાવ તેમજ સ્વચ્છ પાણીના અવાડામાં આયુર્વેદિક દવાઓ ઉમેરી 5 દિવસ સુધી સારવાર ચાલુ રાખી હતી. તેમજ 10 દિવસ કવોરેન્ટાઇન રાખતા ફક્ત 1 નબળું વાછરડાનું મોત થયું હંતુ.બાકીના 21 સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા તા.24-9થી ક્વોરન્ટાઇન મુક્ત કરી તેમના મૂળ વાડામાં મોકલી આપવામાં આવ્યા હતા.આમ સંસ્થાના પશુ દવાખાનાની તજજ્ઞ ડોકટર સાથેની ટીમ દ્વારા આ રોગના કહેરથી ગૌવંશને મુક્ત રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટીમ દ્વારા ખાનગી માલિકના પશુઓની અસાધ્ય બિમારીઓનું નિદાન કરી સારવાર, અશક્ય લાગતા ઓપરેશનો પણ સફળતાપૂર્વક વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. પશુ દવાખાનાની ટીમ નિષ્ઠાપૂર્વક તેમનું કર્મ કરતા લોકોએ તેમની કામગીરીને બિરદાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বিজেপি দলৰ বিশেষ সভা
আজি চৰাইদেউ জিলাৰ অন্তৰ্গত মাহমৰা সমষ্টি আৰু সোণাৰি সমষ্টিত হৰ ঘৰ ত্ৰিৰংগা কাৰ্য্যসূচী সফল কৰাৰ...
iOS 17.4 Update: Apple ने iPhone यूजर्स के लिए पेश किया नया अपडेट, चेक करें क्या कुछ मिला खास
एपल का नया iOS 17.4अपडेट यूरोपियन यूनियन में रहने वाले यूजर्स के लिए एक बड़े अपग्रेड के साथ पेश...
ગોધરાની સદભાવના મિશન ક્લાસ બહાદરપુરના 14માં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા.
સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાને 13 વર્ષ પૂર્ણ કરી 14માં વર્ષે સંસ્કૃતિ કાર્યક્રમ યોજી મંગલ...
વોર્ડ નં ૮ નાં કાર્યાલયનું ઉદ્દઘાટન પ્રસંગે સ્થાનિક લોકોએ ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જીત અપાવવાનો સંકલ્પ કર્યો
વઢવાણ વિધાનસભાના સુરેન્દ્રનગર શહેરના વોર્ડ નં ૮ નાં કાર્યાલયનું ઉદ્દઘાટન પ્રસંગે સ્થાનિક લોકોએ...
કેબિનેટ મંત્રીશ્રી પૂર્ણેશ ભાઈ મોદીના વરદ હસ્તે કુકાવાવ બસસ્ટેશન નિર્માણનું ખાતમુહૂર્ત થયુ
૨૫ લાખ મુસાફરોને પ્રતિદિન પ્રવાસ કરાવતી એસ.ટી. સામાન્ય નાગરિકો માટે પ્રવાસની જીવાદોરી: કેબિનેટ...