સુરત વરાછા વિસ્તારમાંથી એક14 વર્ષની સગીરાનેયુવક ભગાડીજતા સમાજ ના લોકો એ પોલીસ સ્ટેશન નો ઘેરાવો કર્યો

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા એક પરિવારની 14 વર્ષ બાળકી ગુમ થઈ હતી જે અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે એક યુવક સગીરાને લગ્નની લાલચ આપી ભગાવી ગયો છે જે બાબતે વરાછા પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી જોકે સગીરાના માતા પિતાને પોલીસ તરફથી યોગ્ય સહકાર મળતો ન હોવાના આપશે કરવામાં આવ્યા હતા અને સમાજ માં સમગ્ર હકીકત જણાવી મીટીંગ કરતા સગીરાના સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને આ તમામ લોકો વરાછા પોલીસ મથકે આવી ઘેરાવો કર્યો હતો હાથમાં બેનરો લઈ ન્યાયની માંગણી અને આરોપીને સજા થાય તેવી માંગ કરી હતી પોલીસ મથકે ઘેરાવો થતા જ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારી અને અધિકારી પહોંચી ગયા હતા જ્યાં વરાછા પીઆઈ દ્વારા સગીરાને તાત્કાલિક શોધી લાવવા માટેની બાહેધરી આપવામાં આવી હતી.