ગુજરાત રાજ્યમાં વિવિધ વિભાગો દ્વારા પોતાની માગણીઓને લઈને આંદોલનો અને હડતાલો યથાવત છે, તો હવે ગુજરાતના જીઆઇએસએફ સિક્ય્રિટી ગાર્ડ પણ પોતાના પગારને લઈ આંદોલન કરવાનું વિચારી રહ્યા છે. તાજેતરમાં 23 ઓગસ્ટના રોજ ભાવનગર ખાતે કેજરીવાલની જનસભામાં સિક્ય્રિટી ગાર્ડમાવજીભાઈ સરવૈયાએ પોતાની જનવેદના તેમના સમક્ષ રજૂ કરી હતી. ત્યારબાદ માવજીભાઈ સરવૈયાની અંબાજી ખાતે બદલી કરવામાં આવી હતી. અંબાજી મંદિર ખાતે આજે તેઓ પોતાની ફરજ પર હાજર થયા હતા. તેમના ઓર્ડરમાં માત્ર એટલું લખવામાં આવ્યું છે કે વહીવટી કારણોસર તમારી બદલી કરવામાં આવી છે, ભાવનગરથી અંબાજી બદલી કરવામાં આવતા તેમના ખર્ચાઓ પણ વધવા પામશે. લગભગ 400 દૂરથી તેમની બદલી કરાઈ છે. જો કે વેતન વધારાને લઈને સિક્ય્રિટી ગાર્ડ લોકો આંદોલન કરવાનું વિચારી રહ્યા હોવાનુ તેમણે જણાવ્યું હતું. જીઆઇએસએફના સિક્ય્રિટી ગાર્ડ માવજીભાઈ સરવૈયા જણાવ્યું હતું કે અમે છેલ્લા 20થી 25 વર્ષોથી જીઆઇએસએફમાં સિક્યરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવીએ છીએ. અમને મહિનામાં વેતન તરીકે 11 હજાર રૂપિયા આપવામા આવતું હોય છે. પણ હજી સુધી 23 વર્ષ થયા હોવા છતાં પગાર વધારવામાં ન આવતા સરકાર સમક્ષ અમે આંદોલનનું વિચારી રહ્યા છીએ. તો સાથે ભાવનગરમાં કેજરીવાલના જન સંવાદમાં અમારા દ્વારા કરેલી રજૂઆતના કારણે સરકાર અને જીઆઈએસએફના સી.ઓ. દ્રારા મારી બદલી ભાવનગરથી અંબાજી ખાતે કરવામાં આવી છે. તો શું આ ન્યાય આપવાના બદલે આ રીતનો દંડ અમને કરવામાં આવશે તેવુ જીઆઈએસએફના જવાન માવજીભાઈ સરવૈયાએ જણાવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mozilla Firefox का करते हैं इस्तेमाल तो सावधान, हैकर्स आसानी से कर सकते हैं सेंधमारी
मोजिला फायरफॉक्स वेब ब्राउजर का इस्तेमाल करते हैं तो आपके लिए खतरे की घंटी है। इस ब्राउजर और...
Drugs seized in Dhakuakhana - One person was arrested
The state continues its anti-drug campaign. You have been rescued from hiding. Today, an...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29-30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે,સુરત, ભાવનગર, અમદાવાદ અંબાજીમાં અનેક કાર્યક્રમોનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29-30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. આ મુલાકાતમાં પીએમ મોદીનો સુરત...
जाट के बाद गुर्जर ने भी बिगाड़ा बीजेपी के खेल! सीएम भजनलाल शर्मा के गृहजिले में कौन जीतेगा?
राजस्थान में भरतपुर लोकसभा सीट को लेकर मतदान से पहले काफी चर्चा रही. क्योंकि यहां जाटों ने ऑपरेशन...
છોટાઉદેપુર: 73માં વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ મંત્રી નિમિષાબેન સુથારના અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો
દેશની વન સંપદા અને વૃક્ષોની સંખ્યામાં વધારો થાય તેવા ઉમદા હેતુથી સમગ્ર ગુજરાતમાં વન મહોત્સવ ઉજવાઈ...