બે તાલુકાને જોડતા માર્ગની વર્ષોથી ગાડા કેડા જેવી હાલત વર્ષોથી કાચી સડકને પાકી બનાવવાનું મુર્હૂત જ નથી આવતું પીપરલા અને ભાંખલ ગામનો માર્ગ ટનાટન નહીં થતા વર્ષોથી હેરાનગતિ ભોગવતા વાહન ચાલકો સિહોર તાલુકાના ભાંખલ અને ઘોઘા તાલુકાના પીપરલા ગામ વચ્ચેનો માર્ગ સાવ કાચી સડક જ હોય આ રોડને ટનાટન બનાવવાની પ્રબળ લોકમાંગ ઊઠવા પામી છે. ભાંખલ ગામને આઝાદીના આટલા વરસો પછી પણ અમુક સુવિધાઓ બાબતે સતત અન્યાય થઇ રહ્યો છે. ભાંખલથી પીપરલાનો માર્ગ એટલે માત્ર કાચી સડક.ભાંખલ,નેસવડ અને ભાંખલવાસીઓને પૂરતી સુવિધા મળતી નથી. ભાંખલથી પીપરલા વચ્ચેના માર્ગમાં અનેક જગ્યાએ મોટા-મોટા પથ્થર બહાર નીકળી ગયા છે. જેને કારણે અનેકવાર વાહનો પલટી ખાય જાય છે.વાહનોના ટાયર ફાટી જાય છે. આ માર્ગ પરથી પસાર થનારને ઊંટ સવારીનો અનુભવ કરતાં હોય એવું લાગે છે.આ માર્ગ આઝાદી સમયથી આવી જ હાલતમાં છે. અને દિવસે -દિવસે તેની હાલત બદતર થતી જાય છે. ચોમાસામાં તો અહીંથી પસાર થવું અશકય બની જાય છે. આ રોડ પરથી આખા દિવસ દરમ્યાન અનેક વાહનો પસાર થાય છે. આ કાચી સડકને વહેલામાં વહેલી તકે નવો બનાવવામાં આવે તેવી આ વિસ્તારના રહીશો અને આ રોડ પરથી પસાર થતાં વાહન ચાલકોની પ્રબળ લોકમાંગ ઊઠવા પામી છે.લાંબા સમયથી આ માર્ગનો પ્રશ્ન ઉકેલાય તેવી આ ગામનો લોકો તંત્ર પાસે અપેક્ષા રાખી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAJTAK 2 | CONGRESS नेता JAIRAM RAMESH ने बता दिया फॉर्मूला, ऐसे चुना जाएगा INDIA ALLIANCE का PM ! |
AAJTAK 2 | CONGRESS नेता JAIRAM RAMESH ने बता दिया फॉर्मूला, ऐसे चुना जाएगा INDIA ALLIANCE का PM ! |
চিলাপথাৰ ৰঙালী বিহু সন্মিলনীৰ ৰাজহুৱা সভা সম্পন্ন ঃ
চিলাপথাৰ আঞ্চলিক ছাত্ৰ সন্থাৰ উদ্যোগত অনুষ্ঠিত হ'ব লগা একাদশ বাৰ্ষিক চিলাপথাৰ ৰঙালী বিহু...
૩૦ વર્ષ માં વાઘોડિયાના ધારાસભ્યએ શું કર્યું ? જનતા II B1 NEWS II
૩૦ વર્ષ માં વાઘોડિયાના ધારાસભ્યએ શું કર્યું ? જનતા II B1 NEWS II
रावतभाटा मे अब श्वानो की जनसंख्या नियंत्रण के लिए शल्य चिकित्सा ऑपरेशन शिविर का आयोजन
रावतभाटा नगर पालिका अधिशाषी अधिकारी मुकेश नागर ने बताया है कि श्वानों की दिन-प्रतिदिन...
ડીસા સહીત 4 તાલુકામાં પાણીની સમસ્યા નિવારવા રૂ. 1200 કરોડના ખર્ચે પાઇપલાઇન નખાશે
બનાસકાંઠાના ખેડૂતોનો પ્રાણપ્રશ્ન પાણીની સમસ્યા નિવારવા સરકાર પ્રયત્નશીલ છે. જેમાં ડીસા પંથકમાં...