મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમસંસ્કાર આજે શાહી પરંપરા અનુસાર કરવામાં આવશે.  ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે (બ્રિટિશ સમય અનુસાર 11 વાગ્યે) શરૂ થશે. રાજ્યના અંતિમસંસ્કાર બાદ દેશભરમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવશે. 

96 વર્ષીય મહારાણીનું 8 સપ્ટેમ્બરના રોજ નિધન થયું હતું. પ્રથમ, રાણીની અંતિમયાત્રા વેસ્ટમિંસ્ટર હોલથી વેસ્ટમિંસ્ટર એબી સુધી કાઢવામાં આવશે. એટલે કે, તેના તાબૂતને વેસ્ટમિંસ્ટર એબીમાં લાવવામાં આવશે. આ દરમિયાન સૈન્ય પરેડ થશે. જેમાં રાજવી પરિવારના સભ્યો પણ સામેલ થશે. ડ્યૂક ઓફ સક્સેસ એટલે કે પ્રિન્સ હેરી અને તેમના ભાઈ વિલિયમ, મહારાણીના તાબૂતની પાછળ ચાલશે.

શાહી પરંપરા અનુસાર, રાણીના અંતિમ સંસ્કાર તેમના મૃત્યુના 10 દિવસ પછી કરવામાં આવે છે. રાણીના તાબૂતને ગન કેરેજમાં વેસ્ટમિન્સ્ટર એબી લઈ જવામાં આવશે. ગન કેરેજ એટલે લાંબી ગન સાથે જોડેલી વિશાળ પૈડાંવાળી ગાડી.આ બંદૂકની ગાડીનો ઉપયોગ એડવર્ડ VII, જ્યોર્જ V, જ્યોર્જ VI અને સર વિન્સ્ટન ચર્ચિલના અંતિમ સંસ્કાર માટે કરવામાં આવ્યો હતો. તેને 142 રોયલ નેવી ખલાસીઓ દ્વારા ખેંચવામાં આવશે. અહીં રાજ્યના અંતિમ સંસ્કારનો કાર્યક્રમ પૂર્ણ થશે. આ પછી રાજવી પરિવારના સભ્યો અને નજીકના લોકોની હાજરીમાં એક ખાનગી સમારંભ યોજાશે.

વેસ્ટમિંસ્ટર એબી પહોંચ્યા પછી, શાહી રિવાજ મુજબ, રાણીના મૃત્યુ પર શોક કરવામાં આવશે અને પ્રાર્થનાઓ વાંચવામાં આવશે. ત્યારબાદ રાણીના તાબૂતને વેલિંગ્ટન આર્કમાં લઈ જવામાં આવશે, જેની આગેવાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ અને NHS સ્ટાફના સભ્યો કરશે. અહીંથી શબપેટીને વિન્સડર કેસલ લઈ જવામાં આવશે. રાત્રે 8:30 વાગ્યે એક સમારોહ પછી, રાણીને વિન્સડર કેસલ ખાતે સેન્ટ જ્યોર્જ મેમોરિયલ ચેપલમાં દફનાવવામાં આવશે.