ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પક્ષો સક્રીય થઈ ગયાં છે. કોંગ્રેસ દ્વારા શુક્રવારે માછીમારો માટે સહાયનો વાયદો કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબુક કરવાનો વાયદો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ગાંધીનગરમાં ચાલી રહેલા માજી સૈનિકોના આંદોલનને સમર્થન આપીને સરકાર પાસે સૈનિકોની માંગ પુરી કરવા રજુઆત પણ કરવામાં આવી છે.