ખેડા જિલ્લા ના ગળતેશ્વર મા થર્મલ નજીક અમદાવાદ ઈન્દોર હાઈવે ઉપર મેનપુરા પાસે ભયંકર અકસ્માત સર્જાયો છે પાર્સિંગ વગરની ટાટા પંચ ગાડી અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન મેનપુરા પાસે આવતા વરસાદી માહોલ હોવાથી સ્ટેરીંગનું કાબુ ગુમાવ્યું હતું જેમાં રોડની સાઈડમાં ગાય ચરી રહી હતી જે ગાયને અડફેટે લીધી હતી ત્યારબાદ તબીબ દ્વારા તપાસ કરતા ગાયનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું અને ગાડીની અંદર બેઠેલા પાચ, માણસને ઓછાવત્તા પ્રમાણમાં ઇજાઓ થઈ હતી જેમને સારવાર અર્થે બાલાસિનોર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર અગાઉ કેટલાક દિવસો પહેલા ગાડીની અડફેટે આવતા પાંચ ગાયોના મૃત્યુ થયા હતા જે બાદ અકસ્માત ગાયના મૃત્યુ થવાની બીજી ઘટના બની

રિપોર્ટર: રિઝવાન દરિયાઈ

ખેડા: ગળતેશ્વર