બારડોલી : બારડોલી તાલુકાના વાંકાનેર ગામના તળાવ ફળીયામાં રહેતી 32 વર્ષીય યુવતીએ કુવામાં કૂદી મોત વ્હાલું કર્યું હતું. યુવતી માનસિક બીમાર હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

વાંકાનેરના તળાવ ફળીયામાં રહેતા છીતરમલ વિજયલાલ જૈનની પુત્રી કવિતા (ઉ.વર્ષ 32) છેલ્લા ઘણાં સમયથી માનસિક બીમાર હતી. તેણીએ ગત રોજ મળસ્કે ઘરની નજીક આવેલા કુવામાં કૂદી આત્મહત્યા કરી લીધી હતી. પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.