હારીજ તાલુકાના સોઢવ ગામના નીતિનભાઈ ઈશ્વરભાઈ દેસાઈ હાલ અમદાવાદ તરફથી અમદાવાદના જુદા જુદા રોગોના નિષ્ણાત સર્જન તબીબોની ટિમ દ્વારા ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામે 26 સપ્ટેમ્બર, શંખેશ્વર તાલુકાના પંચાસર ગામે 2 ઓક્ટોબર અને હારિજ તાલુકાના રોડા ગામે 8 ઓક્ટોબર ના રોજ જુદા જુદા સર્વેરોગ નિદાન કેમ્પ નું વિના મૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે.વઢિયાર વિસ્તારના લોકો વધુમાં વધુ લાભ મેળવે તેની જાહેરાતો કરવામાં આવી રહી છે.