અમદાવાદમાં બિલ્ડિંગની લિફ્ટનો સ્લેબ તુટતાં આઠ શ્રમિકોમાંથી સાતના મોત થયા હતાં . મોતને ભેટેલા શ્રમિકોમાંથી બે પિતરાઇ ભાઇ દાહોદના દેવગઢ બારિયા તાલુકાના વિરોલ ગામના હતાં . ઘટનામાં મોતને ભેટનાર સંજયના પિતા નથી પણ માતા અને પાંચ ભાઇઓ પણ કાઠિયાવાડમાં મજૂરી માટે ગયા હતાં . અમદાવાદમાં બિલ્ડિંગનો સ્લેબ તૂટતાં મોતને ભેટેલા સાત શ્રમિકો પૈકી દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના વિરોલ ગામના ડુંગર ફળિયાના 21 વર્ષિય અશ્વિન સોમાભાઇ નાયક અને સંજય બાબુભાઇ નાયકનું મોત થયું હતું . અશ્વિન અને સંજય પિતરાઇ ભાઇ થાય છે . બંને સેન્ટિંગના કારીગર હોવાથી દોઢ માસ પહેલાં જ અમદાવાદ કામ કરવા માટે ગયા હતાં . બુધવારે બનેલી ઘટનામાં આ બંનેના મોત થતાં વિરોલ ગામમાં ભારે શોક ફેલાઇ ગયો હતો . અશ્વિનના પિતા સોમાભાઇ તેનો મોટો ભાઇ અમદાવાદ અશ્વિન અને સંજયના મૃતદેહ સાથે જ છે . વિરોલ અને વાવકુંડલીના મૃતક યુવાનોના મૃતદેહ એક સાથે વતનમાં લવાશે.