ભુજ, બુધવારઃ

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

કચ્‍છ જિલ્‍લામાં નગરપાલિકા વિસ્‍તારોમાં રસ્‍તા પર કે સરકારી જમીનો અને ખાનગી પ્‍લોટ પર અનઅધિકૃત વ્‍યકિતઓદ્વારા અનઅધિકૃત રીતે ઘાસચારો વેંચવામાં આવતો હોવાનું ધ્‍યાને આવેલ છે. વ્‍યકિતઓ દ્વારા એક જગ્‍યાએ ઢોરો એકત્રકરી ગ્રાહકોને ઘાસચારો વેંચી એકત્ર કરેલ ઢોરોને આપવામાં આવતો હોવાનું ધ્‍યાને આવેલ છે. એકત્ર થયેલ ઢોરો ઘણીવારનિરંકુશ થઇ રસ્‍તેથી પસાર થતા નાગરિકોને ઈજા પહોંચાડે છે અને વાહન વ્‍યવહારમાં અડપણ ઉભી થાય છે. જેથી જાહેરજનતાની સુરક્ષાના હિતમાં જાહેરમાં સરકારી તથા ખાનગી જમીનો પર અનઅધિકૃત રીતે ઘાસચારો વેંચવા પર પ્રતિબંધફરમાવવો જરૂરી છે.

આથી જિલ્‍લાના મેજીસ્‍ટ્રેટશ્રી પ્રવીણા ડી.કે. દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ- (સીઆર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪નાનં.) ની કલમ-૧૪૪ અન્‍વયે જિલ્‍લાની તમામ નગરપાલિકાઓની હદમાં નગરપાલિકાએ અધિકૃત કરેલ સ્‍થળો સિવાયનાકોઇપણ સ્‍થળ પર ઘાસચારાનો વેપાર કરી શકાશે નહીં તેવું જાહેરનામાં જણાવાયું છે.

હુકમ જિલ્‍લાની તમામ નગરપાલિકાના વિસ્‍તાર માટે આગામી તા.૧૨/૧૧/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગકે ઉલ્‍લંઘન કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.