વઢવાણ તાલુકાના ખારવા ગામે ધોધમાર વરસાદ બાદ વાડાની દિવાસ ધસી પડતાં 7 ગાયના મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે ખારવા ગામના ભરવાડ વાસમાં આવેલા વાડામાં બાંધેલી 7 ગાયો પર દિવાલ અને વાડાની પતરાની છત પડતાં સાત જેટલી ગાયના મોત થયા છે.મહત્વનું છે કે ગઈકાલે 13 સપ્ટેમ્બરના રોજ વઢવાણ તાલુકાના ખારવા ગામે કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ખારવા ગામમાં આશરે સાડા ચાર ઈંચ જેટલો વરસાદ એક જ દિવસમાં ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે ખારવા ગામના ભરવાડ વાસમાં રહેતા હરેશભાઈ પોપટભાઈ સિંધવ (ભરવાડ)ના ગાયના વાડાની દિવાલ તૂટી પડી હતી.દિવાલ તૂટી પડતાં ઉપર રહેલો પતરાનો સેડ પણ ધરાશાયી થઈ ગયો હતો. જેના કારણે વાડામાં બાંધેલી 7 જેટલી ગાયો મોતને ભેટી હતી. પશુપાલકની એક સાથે 7 ગાય મોતને ભેટતાં પરિવારમાં અને ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આવનારી ભાદરવી પૂનમને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ.
આવનારી ભાદરવી પૂનમને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ.
મહિલાઓ પગભર થાય એ હેતુથી વરાછા ખાતે સુરત જ્વેલરી મેનુફેક્ચરીંગ એસો. અને WICCI દ્વારા ‘અભિલાષા’ કાર્યક્રમ યોજાયો.
મહિલાઓ પગભર થાય એ હેતુથી વરાછા ખાતે સુરત જ્વેલરી મેનુફેક્ચરીંગ એસો. અને WICCI દ્વારા...
Bharat Jodo Nyay Yatra: क्या मणिपुर से शुरू नहीं होगी 'भारत जोड़ो न्याय यात्रा'? राज्य सरकार ने नहीं दी मंजूरी
इंफाल। कांग्रेस ने बुधवार को दावा किया कि मणिपुर सरकार ने उस स्थान के लिए अपनी मंजूरी देने...