સુરેન્દ્રનગર શહેર અને તેના તાલુકા મથકોએ ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે છેવાળાના વિસ્તારો ના મકાનોની કોઈ પ્રકારની સલામતી રહી નથી અને છેવાડાના વિસ્તારોમાં ચોરીના બનાવો દિન પ્રતિદિન વધુ બની રહ્યા છે ત્યારે વઢવાણ વાઘેલા રોડ ઉપર આવેલ શ્રીજી નગર વિસ્તારમાં બંધ રહેણાંક મકાનમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતા અને આ મકાનમાં તમામ પ્રકારની ચીજ વસ્તુઓ ભેદી નાખી હતી અને મકાનમાંથી 1.10 લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ વઢવાણ પોલીસ મથકે નોંધાય છે.તેજસ સિંહ બારડ નું મકાન બંધ હતું ત્યારે તેમાં ચોરી થઈ હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે વઢવાણ પોલીસ ફરિયાદ નોંધ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.