ડીજીપીના આદેશ અનુસાર બરવાળા અને રાણપુર કેસનું મોનિટરિંગ સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નિર્લપ્ત રાય કરશે. જ્યારે અમદાવાદ ગ્રામ્યના ધંધુકામાં નોંધાયેલા ગુનાની દેખરેખ SCRB પોલીસ અધિક્ષક જ્યોતિ પટેલ કરશે. બોટાદ અને અમદાવાદ ગ્રામ્યમાં કેમિકલની ઘટના અંગે શનિવારે મહત્વના સમાચાર મળી રહ્યા છે. ડીજીપીએ સમગ્ર મામલાની દેખરેખ 2 એસપી સ્તરના અધિકારીઓને સોંપી છે. જેમાં બરવાળા, ધંધુકા અને રાણપુર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે. ડીજીપીના આદેશ અનુસાર બરવાળા અને રાણપુર કેસનું મોનિટરિંગ સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નિર્લપ્ત રાય કરશે. જ્યારે અમદાવાદ ગ્રામ્યના ધંધુકામાં નોંધાયેલા ગુનાની દેખરેખ SCRB પોલીસ અધિક્ષક જ્યોતિ પટેલ કરશે.

રોઝીંદ ગામના ગ્રામજનોનું અનોખું અભિયાન
કેમિકલ કૌભાંડ બાદ રોજીંદ ગામના ગ્રામજનો અનોખું અભિયાન ચલાવવા જઈ રહ્યા છે. સ્વૈચ્છિક વ્યસનમુક્તિ માટે ગ્રામીણ અભિયાન ચલાવશે. આવતીકાલે (રવિવારે) મૃતકોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન સમગ્ર ગામ દારૂ નહીં પીવાના શપથ લેશે.