ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરના આદેશથી કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા તથા જિલ્લા ઇન્ચાર્જ મહામંત્રી રામદેવસિંહ જાડેજાના સંકલન તળે જિલ્લા કોંગ્રેસ ભવન ભુજ મધ્યે 11 સપ્ટેમ્બર થી 12 સપ્ટેમ્બર સુધી કુલ ૮૩ દાવાઓ નોંધાયા હતા તે પૈકી અબડાસા માટે 20 , માંડવી માટે 19 , ભુજ માટે 07 ,અંજાર માટે 13, ગાંધીધામ માટે 20 , અને રાપર માટે 04 એમ કુલ 83 દાવા નોંધાવાથી કોંગ્રેસ પક્ષે આ દાવેદારો સાથે રણનીતિ નક્કી કરી અને આ દાવા પ્રારંભિક તબક્કે પ્રદેશપ્રમુખ તથા રાજ્યની કોંગ્રેસ ચૂંટણી સમિતિમાં રજૂ કરાશે ત્યારબાદ મંજૂરીની મહોર લાગશે. 

આજે દાવા નોંધાવનાર આગેવાનોમાં ચૂંટણી લડવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને સવારથી સાંજના છ વાગ્યા સુધી સતત બે દિવસ સુધી આગેવાનોનો જમાવડા થી કોંગ્રેસમાં નવીન ઉર્જાનો સંચાર થયો છે જેથી કચ્છ કોંગ્રેસ હાલમાં જ ઇલેક્શન મૂડમાં આવી ભાજપને હરાવવા માટે સંકલ્પબંધ છે એવું જિલ્લા પ્રવક્તા દીપક ડાંગર દ્વારા જણાવાયુ છે.