કેન્દ્ર સરકારે ખાદ્યતેલોના ભાવો કાબૂમાં લેવા આયાતી તેલોમાં ડયુટી ઘટાડતાં તેમજ વિદેશોમાં આયાતી તેલોનું ઉત્પાદન વધી જતાં છેલ્લા એકાદ મહિનાથી પામોલીન, સોયાબીન સહિતના તેલના ભાવોમાં 30 ટકા જેટલો જબ્બર ઘટાડો થયો છે તો બેસનમાંયે કોઈ વધારો નથી તેમ છતાં ફરસાણના ભાવો નીચા ઉતરવાના બદલે વધુને વધુ આસમાનને આંબી રહ્યા હોવાનો ગણગણાટ ગ્રાહકોમાંથી સાંભળવા મળી રહ્યો છે. એકાદ માસ અગાઉ સીંગતેલ તેમજ પામોલીન, સોયાબીન, સૂરજમુખી જેવા આયાતી ખાદ્યતેલોના ભાવો ભડકે બળી રહ્યા હતા જેના કારણે કેન્દ્ર સરકારે વિદેશોથી આયાત થતા પામોલીન, સોયાબીન જેવા ખાદ્યતેલોમાં આયાત ડયુટીમાં ઘટાડો કર્યો હતો. આ આયાત ડયુટીમાં ઘટાડાને પગલે એક માસ અગાઉ રૂા. 2165 સુધી ગયેલા પામોલીન તેલના 15 કિલોના ભાવ હાલ ગબડીને 1545ની આસપાસ થઈ ગયા છે, તેમ છતાં કચ્છમાં ફરસાણના ભાવો કિલોએ 250થી 275 જેટલા લેવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કેટલાક જાગૃત ગ્રાહકો કરી રહ્યા છે. ગ્રાહકોના જણાવ્યા અનુસાર મોટાભાગના વેપારીઓ પામોલીનમાંથી જ ફરસાણ બનાવતા હોય છે તેમ છતાં સીંગતેલના નામે ભાવો વધુ લઈ ગ્રાહકોને છેતરી રહ્યા છે, ખરેખર તો આવા વેપારીઓ સામે સંલગ્ન તંત્ર ચેકિંગ હાથ ધરી કડક કાર્યવાહી કરે તેવું રોષ સાથે લોકો જણાવી રહ્યા છે. તેલોના ભાવોમાં જરા જેટલો વધારો થાય કે, તરત જ વેપારીઓ ભાવો વધારી મૂકતા હોય છે પરંતુ' ડબે 30 ટકાથી વધુ ઘટાડો થયો હોવા છતાં વેપારીઓ ફરસાણના ભાવો ઘટાડવાનું નામ ન લેતાં આશ્ચર્ય સાથે રોષની લાગણી ફેલાઈ છે. વળી દીવાળી જેવા તહેવારો ટાણેય વહીવટીતંત્રના અનુરોધને પગલે ફરસાણ-મીઠાઈના ભાવ બાંધણા જેવા નાટકો કરી કિલોએ 20-40 રૂપિયા ઘટાડો કરાતો હોય છે, તેવું મત જાગૃતો જણાવી રહ્યા છે. જોકે, સીંગતેલના ડબાના ભાવો હજુયે 2700થી 2900 વચ્ચે છે, પરંતુ આ તેલનો ઉપયોગ ગણ્યાગાંઠયા જ વેપારીઓ કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लिफ्ट से गिरकर हुई महिला की मौत का मामला, परिजनों ने आरकेपुरम थाने के बाहर शव रखकर किया प्रदर्शन
लिफ्ट से गिरकर हुई महिला की मौत का मामला, परिजनों ने आरकेपुरम थाने के बाहर शव रखकर किया प्रदर्शन
મકાનમાંથી દારૂ અને બિયરની 75 બોટલ ઝડપાઈ
લખતર તાલુકાના તલવણીનાં એક મકાનમાં પોલીસે મળેલી બાતમીને આધારે રેડ કરી હતી. જેમાં વિદેશી દારૂની 30...
नाचनवेल येथे पंडित जवाहलाल नेहरू व सिंधुताई सपकाळ यांची जयंती साजरी
कन्नड तालुक्यातील नाचनवेल जि प प्र शाळा येथे स्वतंत्र भारत देशाचे पहिले पंतप्रधान पंडित जवाहरलाल...
कंपनी ने ऑफिशियल वेबसाइट पर फोन के पोस्टर के साथ जानकारी दी है कि अपकमिंग डिवाइस Armorshell Protection के साथ लाया जा रहा है। इस खास तरह के प्रोटेक्शन के साथ फोन फ्लोर पर गिरता है तो आसानी से डैमेज नहीं होगा।
Redmi Pad Pro 5G और Pad SE 4G टैबलेट को भारत में लॉन्च कर दिया गया है। प्रो मॉडल में 10000 mAh की...
જુઠી સરકારને જુઠ્ઠા એમના વાયદા
જુઠી સરકારને જુઠ્ઠા એમના વાયદા