કેન્દ્ર સરકારે ખાદ્યતેલોના ભાવો કાબૂમાં લેવા આયાતી તેલોમાં ડયુટી ઘટાડતાં તેમજ વિદેશોમાં આયાતી તેલોનું ઉત્પાદન વધી જતાં છેલ્લા એકાદ મહિનાથી પામોલીન, સોયાબીન સહિતના તેલના ભાવોમાં 30 ટકા જેટલો જબ્બર ઘટાડો થયો છે તો બેસનમાંયે કોઈ વધારો નથી તેમ છતાં ફરસાણના ભાવો નીચા ઉતરવાના બદલે વધુને વધુ આસમાનને આંબી રહ્યા હોવાનો ગણગણાટ ગ્રાહકોમાંથી સાંભળવા મળી રહ્યો છે. એકાદ માસ અગાઉ સીંગતેલ તેમજ પામોલીન, સોયાબીન, સૂરજમુખી જેવા આયાતી ખાદ્યતેલોના ભાવો ભડકે બળી રહ્યા હતા જેના કારણે કેન્દ્ર સરકારે વિદેશોથી આયાત થતા પામોલીન, સોયાબીન જેવા ખાદ્યતેલોમાં આયાત ડયુટીમાં ઘટાડો કર્યો હતો. આ આયાત ડયુટીમાં ઘટાડાને પગલે એક માસ અગાઉ રૂા. 2165 સુધી ગયેલા પામોલીન તેલના 15 કિલોના ભાવ હાલ ગબડીને 1545ની આસપાસ થઈ ગયા છે, તેમ છતાં કચ્છમાં ફરસાણના ભાવો કિલોએ 250થી 275 જેટલા લેવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કેટલાક જાગૃત ગ્રાહકો કરી રહ્યા છે. ગ્રાહકોના જણાવ્યા અનુસાર મોટાભાગના વેપારીઓ પામોલીનમાંથી જ ફરસાણ બનાવતા હોય છે તેમ છતાં સીંગતેલના નામે ભાવો વધુ લઈ ગ્રાહકોને છેતરી રહ્યા છે, ખરેખર તો આવા વેપારીઓ સામે સંલગ્ન તંત્ર ચેકિંગ હાથ ધરી કડક કાર્યવાહી કરે તેવું રોષ સાથે લોકો જણાવી રહ્યા છે. તેલોના ભાવોમાં જરા જેટલો વધારો થાય કે, તરત જ વેપારીઓ ભાવો વધારી મૂકતા હોય છે પરંતુ' ડબે 30 ટકાથી વધુ ઘટાડો થયો હોવા છતાં વેપારીઓ ફરસાણના ભાવો ઘટાડવાનું નામ ન લેતાં આશ્ચર્ય સાથે રોષની લાગણી ફેલાઈ છે. વળી દીવાળી જેવા તહેવારો ટાણેય વહીવટીતંત્રના અનુરોધને પગલે ફરસાણ-મીઠાઈના ભાવ બાંધણા જેવા નાટકો કરી કિલોએ 20-40 રૂપિયા ઘટાડો કરાતો હોય છે, તેવું મત જાગૃતો જણાવી રહ્યા છે. જોકે, સીંગતેલના ડબાના ભાવો હજુયે 2700થી 2900 વચ્ચે છે, પરંતુ આ તેલનો ઉપયોગ ગણ્યાગાંઠયા જ વેપારીઓ કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शाहु विद्यायल येथे महात्मा गांधी व लालबहादूर शास्री जयंती साजरी
पैठण : शाहु विद्यालय जायकवाडी उत्तर येथे आज दि.2ऑक्टोबर 2022 रोजी राष्ट्रपिता महात्मा गांधी आणि...
રાજકોટ પૂર્વની બેઠક પરથી ઉદય કનડગડની પસંદગી થતા ખુશી વ્યક્ત કરી, ભાજપનો માન્યો આભાર
રાજકોટ પૂર્વની બેઠક પરથી ઉદય કનડગડની પસંદગી થતા ખુશી વ્યક્ત કરી, ભાજપનો માન્યો આભાર
Corruption Allegation | ભાવનગર ખાતે કોંગ્રેસ દ્વારા ભાજપના નગરસેવકોને સસ્પેન્ડ કરવાની માંગ
Corruption Allegation | ભાવનગર ખાતે કોંગ્રેસ દ્વારા ભાજપના નગરસેવકોને સસ્પેન્ડ કરવાની માંગ
वन्यप्रेमी वरिष्ठ राज्य पुलिस सेवा अधिकारी पवन जैन अमृता देवी विश्नोई स्मृति पुरुस्कार से होंगे सम्मानित. अलीगड ग्रामवाशियों मे दौड़ी ख़ुशी की लहर.
टोक. जिले के अलीगड कस्बे निवासी वरिष्ठ RPS पवन जैन को राज्य सरकार द्वारा अमृता देवी स्मृति...
ahmedabad : રાજ્યમાં હોમગાર્ડ કમાન્ડન્ટ ને લઈને કોંગ્રેસ નો આક્ષેપ, વધુ માહિતી માટે #sms #news જોવો
ahmedabad : રાજ્યમાં હોમગાર્ડ કમાન્ડન્ટ ને લઈને કોંગ્રેસ નો આક્ષેપ, વધુ માહિતી માટે #sms #news જોવો