ખંભાત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશજીની ઠેર ઠેર સ્થાપના કરવામાં આવી હતી.કલાત્મક અને સુશોભિત ગણેશજીના સ્થાપના બાદ દસ દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી.બાપાની વિદાયનો સમય થતા ખંભાતના દરિયા કાંઠે બાપાને વિદાય આપવા શ્રદ્ધાળુંઓ ભવ્ય શોભાયાત્રામાં જોડાયા છે.'ગણપતિ બાપા મોરિયા'ના નાદ સાથે ઢોલ-નગરાના તાલે અબીલ ગુલાલે છોરો વચ્ચે ભક્તિમય વાતાવરણ સર્જાઈ ગયું છે.જો કે અતિ સંવેદનશીલ ગણાતા ખંભાતમાં પોલીસ ટીમ દ્વારા શોભયાત્રાના રૂટો પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.હાલ સરદાર ટાવર પાસે પોલીસના ચૂસ્ત બંદોબસ્ત હેઠળ શોભાયાત્રા નીકળી છે.બટાલિયન ટુકડી દ્વારા શોભાયાત્રાના રૂટો પર બાજ નજર રાખવામાં આવી રહી છે.અન્ય એજન્સી પણ ખાનગી રાહે નજર રાખી રહી છે.દરિયા કાંઠે સરળતાથી ગણેશજીનું વિસર્જન થઈ શકે તે પૂર્વ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી હતી.ફાયર તેમજ મેડિકલ ટીમ પણ ખડેપગે ફરજ બજાવી રહી છે.જો કે અન્ય શહેરી વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક જળાશયો અને તળાવોમાં ગણેશજીનું ભક્તિભાવ અને વિધિવત વિસર્જન કરી ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सेनगाव पंचायत समिती कार्यालयासमोर ढोल बजाव आंदोलन पुकारून निषेध
सेनगाव पंचायत समिती कार्यालयासमोर ढोल बजाव आंदोलन पुकारून निषेध
सेनगांव पंचायत समिती...
વિટામિન પ્રોટીન કાર્બોહાઈડ્રેટસ થી ભરપૂર એવા સરગવાની ખેતી માટે રાજ્ય સરકાર દ્વારા મળી રહી છે સહાય
*વિટામીન પ્રોટીન કાર્બોહાઇડ્રેટસથી ભરપૂર એવા સરગવાની ખેતી માટે રાજ્ય સરકાર દ્વારા મળી રહી છે...
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રૂ.1275 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમહૂર્ત કરવામાં આવ્યું.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રૂ.1275 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમહૂર્ત કરવામાં આવ્યું.