માં જગત જનની અંબાની નગરી અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો ચાલુ છે. તો આજે ભાદરવી મહામેળાનો બીજો દિવસ છે. લાખોની સંખ્યામાં માઇભક્તો પોતાના સંઘ લઈને પગપાળા અંબાજી આવી રહ્યા છે. ઢોલ-નગાડા અને ડીજે સાથે નાચતા ગાતા માઁના ભક્તો ધજા લઈને અંબાજી મંદિર પહોંચી માતાજીનો આશીર્વાદ મેળવી રહ્યા છે. બોલ મારી અંબે જય જય અંબેના નાદથી અંબાજી મંદિર ગુંજી ઉઠ્યું છે. સેંકડો કિલોમીટરથી માઇભક્તો પગપાળા અંબાજી આવી અંબાજી મંદિરના શિખરે ધજા ચઢાવી તેમની કામના પૂર્ણ કરી રહ્યા છે.અંબાજી ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. મંત્રીએ ગર્ભગૃહમાં માતાજી સમક્ષ શિશ ઝુકાવી ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે માતાજીને પ્રાર્થના કરી હતી.શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરના ટેમ્પલ ઇન્સપેક્ટરશ્રી સતીષભાઇ ગઢવીએ માતાજીનો ખેસ પહેરાવી મંત્રીનું સ્વાગત કર્યું હતું.લાખો લોકોનો માઁ અંબાના પ્રત્યે શ્રદ્ધાભાવ જોઈ અંબાજી નગરીમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે 5 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમના મહામેળાનો વિધિવત રીતે આદિવાસી કન્યાઓના હસ્તે શુભારંભ કરાયો હતો. તો શક્તિપીઠ અંબાજીમાં મહામેળાનો માહોલ જામ્યો છે. આજે મેળાના બીજા દિવસે પણ હજારોની સંખ્યામાં માઇભક્તો અંબાજી તરફ વધી રહ્યા છે. તો અંબાજી મંદિરની કતારો માઇભક્તોથી ઉભરાઈ રહી છે. અંબાજી મંદિર હજારોની સંખ્યામાં માઇભક્તોના જય અંબેના જય ઘોષથી ગુંજી ઉઠ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
थाने में सेना के जवान को निर्वस्त्र कर पीटने वाले पुलिसकर्मियों पर गिरी गाज
थाने में सेना के जवान की निर्वस्त्र करके पिटाई के मामले में सब इंस्पेक्टर सहित 4 पुलिसकर्मी लाइन...
▶️গোৰেশ্বৰৰ গোসাঁইগাওঁত ভূমি দখলক কেন্দ্ৰ কৰি দুই পক্ষৰ মাজত সংঘাত
▶️গোৰেশ্বৰৰ গোসাঁইগাওঁত ভূমি দখলক কেন্দ্ৰ কৰি দুই পক্ষৰ মাজত সংঘাত
पाचन दुरुस्त रखने के साथ-साथ वजन कम करने में भी मददगार है मसूर की दाल, जानें इसे खाने के फायदे
मसूर की दाल सेहत के लिए बेहद फायदेमंद होती है। इसे खाने से सेहत संबंधी इतने लाभ मिलते हैं कि इसका...
गोलाघाट में सरकारी शिक्षाखंड में सरकार द्वारा प्रस्तावित असमिया भाषा की नीति के विरोध में धरना
आज गोलाघाट में छात्र मुक्ति संग्राम समिति की जिला ईकाई ने सरकारी शिक्षाखंड में असम सरकार द्वारा...
અમરેલીમાં એસટી બસે સર્જ્યો અકસ્માત… વિદ્યાર્થી હડફેટે લીધો
અમરેલીમાં એસટી બસે સર્જ્યો અકસ્માત… વિદ્યાર્થી હડફેટે લીધો