માં જગત જનની અંબાની નગરી અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો ચાલુ છે. તો આજે ભાદરવી મહામેળાનો બીજો દિવસ છે. લાખોની સંખ્યામાં માઇભક્તો પોતાના સંઘ લઈને પગપાળા અંબાજી આવી રહ્યા છે. ઢોલ-નગાડા અને ડીજે સાથે નાચતા ગાતા માઁના ભક્તો ધજા લઈને અંબાજી મંદિર પહોંચી માતાજીનો આશીર્વાદ મેળવી રહ્યા છે. બોલ મારી અંબે જય જય અંબેના નાદથી અંબાજી મંદિર ગુંજી ઉઠ્યું છે. સેંકડો કિલોમીટરથી માઇભક્તો પગપાળા અંબાજી આવી અંબાજી મંદિરના શિખરે ધજા ચઢાવી તેમની કામના પૂર્ણ કરી રહ્યા છે.અંબાજી ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. મંત્રીએ ગર્ભગૃહમાં માતાજી સમક્ષ શિશ ઝુકાવી ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે માતાજીને પ્રાર્થના કરી હતી.શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરના ટેમ્પલ ઇન્સપેક્ટરશ્રી સતીષભાઇ ગઢવીએ માતાજીનો ખેસ પહેરાવી મંત્રીનું સ્વાગત કર્યું હતું.લાખો લોકોનો માઁ અંબાના પ્રત્યે શ્રદ્ધાભાવ જોઈ અંબાજી નગરીમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે 5 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમના મહામેળાનો વિધિવત રીતે આદિવાસી કન્યાઓના હસ્તે શુભારંભ કરાયો હતો. તો શક્તિપીઠ અંબાજીમાં મહામેળાનો માહોલ જામ્યો છે. આજે મેળાના બીજા દિવસે પણ હજારોની સંખ્યામાં માઇભક્તો અંબાજી તરફ વધી રહ્યા છે. તો અંબાજી મંદિરની કતારો માઇભક્તોથી ઉભરાઈ રહી છે. અંબાજી મંદિર હજારોની સંખ્યામાં માઇભક્તોના જય અંબેના જય ઘોષથી ગુંજી ઉઠ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दौड़ते समय पेट मे दर्द 😭 | stomach pain in running ✅ Running ke doran pet me dard ilaaj | side stich
दौड़ते समय पेट मे दर्द 😭 | stomach pain in running ✅ Running ke doran pet me dard ilaaj | side stich
চৰাইদেউত লোক আদালতৰ আয়োজন
চৰাইদেউ জিলাত ১৩ আগষ্টত ৰাষ্ট্ৰীয় লোক আদালতৰ আয়োজন
সোণাৰি, ৩ আগষ্ট: সমগ্ৰ অসমৰ লগতে চৰাইদেউ...
वरिष्ठ साहित्यकार विजयवर्गीय के कहानीसंग्रह ‘तीसरा मोड़’ का हुआ विमोचन
उम्र की मोहताज नहीं होती साहित्य की सृजनयात्रा - डॉ. नागौरीवरिष्ठ साहित्यकार विजयवर्गीय के...
দেশৰ আটাইতকৈ ডাঙৰ ব্যক্তিগত চিকিৎসালয় উদ্বোধন কৰে মোদীয়ে
নতুন দিল্লী, ২৪ আগষ্ট। দেশৰ আটাইতকৈ ডাঙৰ ব্যক্তিগত চিকিৎসালয়খন মঙলবাৰে প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ...
মাহমৰাত শূন্য হোৱাৰ দিশে কংগ্ৰেছ: মন্ত্ৰী যোগেন মহন
মাহমৰাত শূন্য হোৱাৰ দিশে কংগ্ৰেছ : মন্ত্ৰী যোগেন মহন