રાજકોટની ભાગોળે જામનગર રોડ ઉપર નિર્માણ પામી રહેલા કોર્ટ બિલ્ડિંગમાંથી એ.સી.ચોરી થવાની ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે અને આ ચોરીને બિલ્ડિંગની ચોકીદારી કરતાં ચોકીદારે જ અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે ચોકીદાર સહિત બે શખ્સોની એ.સી.સહિતના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ એ.બી.વોરા, હેડ કોન્સ્ટેબલ રાહુલ વ્યાસ, દીપક ચૌહાણ, કોન્સ્ટેબલ એભલ બરાલીયા, રોહિત કછોટ સહિતનો સ્ટાફે બાતમીના આધારે મનહરપુર ગામે દરોડો પાડી ધર્મેશ પૃથ્વીસિંહ પરમાર (ઉ.વ.39, રહે.મનહરપુર) અને શ્યામ રામભાઈ ચૌહાણ (ઉ.વ.24, રહે.મનહરપુર)ની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ધર્મેશ કોર્ટ બિલ્ડિંગમાં જ ચોકીદારી કરતો હોવાથી અહીં મોંઘા સામાનની અવર-જવરનો