ભાવનગરમાં લમ્પી વાઇરસના નવા 122 કેસ નોંધાયા, વધુ 5 પશુઓના મોત જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6581 કેસ તેમજ 466 પશુઓના મોત થયા ભાવનગર જિલ્લામાં લમ્પી વાઇરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે. એક દિવસમાં વધું 5 પશુઓના લમ્પી વાઇરસથી મોત થયા છે. તેમજ 122 નવા કેસ નોંધાયા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6581 કેસ તેમજ 466 પશુઓના મોત થયા છે. લમ્પી વાઇરસના કેસમાં સતત વધારો ભાવનગર જિલ્લામાં લમ્પીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પશુઓમાં જીવલેણ સાબિત થયેલા લમ્પીનું સંક્રમણ અનિયંત્રિત રહેતા કેસ વધવા સાથે મોતની પણ ઘટનાઓ વધી રહી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 6581 પોઝિટિવ કેસ નોંધાયા છે. 10 તાલુકાના 506 ગામો અસરગ્રસ્ત ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં લમ્પી વાઇરસના કુલ 6581 કેસ નોંધાયા છે અને કુલ 466 પશુના મોત નિપજતા અરેરાટી વ્યાપી છે. જિલ્લાના ગારીયાધાર, ઉમરાળા, પાલીતાણા, સિહોર, વલભીપુર, ઘોઘા, અને તળાજા સહિત દસ તાલુકામાં વાઇરસ જોવા મળતા પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે. દસ તાલુકાના 506 ગામો અસરગ્રસ્ત થયા છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં કુલ 2,29,147નું રસીકરણ કરવામાં આવ્યું છે તેમ પશુપાલન વિભાગના અધિકારી કલ્પેશ બારૈયાએ જણાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધ્રાંગધ્રા શહેરમાં ચલણી રૂ.5 ની નોટ અને રૂ.10 ના સિક્કા વેપારી નહીં સ્વીકારતા ગ્રાહકોમાં રોષ
ધ્રાંગધ્રા શહેરમાં ચલણી રૂ.પ ની નોટ અને રૂ.૧૦ ના સિક્કા વેપારી નહીં સ્વીકારતા ગ્રાહક સુરક્ષા...
Election Phase-5 Voting: Hazaribagh से BJP उम्मीदवार के बयान पर जनता ने क्या कहा? देखिए ये रिपोर्ट.
Election Phase-5 Voting: Hazaribagh से BJP उम्मीदवार के बयान पर जनता ने क्या कहा? देखिए ये रिपोर्ट.
Government's ardent desire is that everyone should study in government schools" - Madhu Bangarappa
Government's ardent desire is that everyone should study in government schools" - Madhu Bangarappa
'ज्या शिवसेनेने ज्यांना 'सत्तेचं दूध' पाजलं तेच गद्दार आता तोंडानं गटार ओकत आहे' : उद्धव ठाकरे !!
'ज्या शिवसेनेने ज्यांना 'सत्तेचं दूध' पाजलं तेच गद्दार आता तोंडानं गटार ओकत आहे' : उद्धव ठाकरे !!