શ્રી સી.એચ.શાહ મૈત્રીવિદ્યાપીઠના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓએ સ્થાનિક પર્યટન અંતર્ગત ભગિની સંસ્થાઓની મુલાકાત લીધી.ડૉ.એલ.એમ.ધ્રુવ બાલાશ્રમના નિયામકશ્રી દાદુભા વાઘેલાએ સંસ્થાદર્શન અંતર્ગત વિગતે માહિતી આપી.શ્રીમનસુખભાઈ દોશી લોકવિદ્યાલય ખાતે નિયામકશ્રી બળદેવભાઈ દેસાઈએ સંસ્થાના વિકાસની પ્રેરક વાતો જણાવી.આચાર્યશ્રી જાતુષભાઈ જોષીએ સૌને શાબ્દિક આવકાર આપ્યો.ડૉ.જયશ્રીબેન દેસાઈ, ડૉ.કેતનભાઈ ગોહેલ તથા તમામ અધ્યાપકો આ પરિચય પ્રવાસમાં સાથે જોડાયાં હતાં.બંને સંસ્થામાં તાલીમાર્થી બહેનોએ સુંદર કૃતિઓ રજૂ કરી.મૂલ્યલક્ષી પ્રત્યક્ષ અનુભવોથી સૌ સમૃદ્ધ થયાં.